જેતપુરના મોટા ગુંદાળામાં બની દુર્ઘટના, સ્કૂલ બસ વિદ્યાર્થીની પર ફરી વળતા નિપજ્યું મોત! જાણો ઘટના બાદ જયેશ રાદડિયાએ કોને ખખડાવ્યા?


  • Published By :
  • Published Date : 2023-04-18 10:13:39

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં ભૂલ ગમે તેની હોય પરંતુ અનેક વખત નિર્દોષ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે જેતપુરથી એક ઘટના સામે આવી છે જ્યાં વિદ્યાર્થીની પર સ્કૂલ બસ ફરી વળી હતી. સ્કૂલ બસના ટાયરની અડફેટે આવતા વિદ્યાર્થીની મોતને ભેટી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજકોટના જેતપુર તાલુકાની છે. બસમાંથી વિદ્યાર્થીની નીચે ઉતરી અને આગળ વધી રહી હતી ત્યારે બસનું ટાયર વિદ્યાર્થીની પર ફરી વળ્યું હતું. અને તેનું મોત નિપજ્યું હતું. જ્યારે વિદ્યાર્થીનીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે ફોરેન્સિક પીએમ કરવાની ના પાડી દીધી તેવો આક્ષેપ પરિવારજન દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આ આક્ષેપો બાદ ધારાસભ્ય જયેશ રાદડિયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તબીબનો ઉધડો લીધો હતો.   

બાળકી સ્કૂલ બસમાંથી ઊતરી ઘર તરફ વળી રહી હતી.


અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ.

સ્કૂલ બસના ટાયર નીચે આવી જતા થયું વિદ્યાર્થીનીનું મોત!

અકસ્માતમાં મોત થવાને કારણે અનેક પરિવારો વિખેરાઈ જતા હોય છે. ત્યારે જેતપુરથી એક એવી ઘટના સામે આવી છે જે દિલને હચમચાવી દે તેવી છે. એક વિદ્યાર્થીની પર સ્કૂલ બસનું ટાયર ફરી વળ્યું હતું જેને કારણે અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફરેણ સ્વામિનારાયણ સ્કૂલ બસમાં વિદ્યાર્થીની પરત ફરી રહી હતી. તે દરમિયાન મોટા ગુંડાળા પાસે વિદ્યાર્થીની ઉતરી ગઈ હતી. બસમાંથી નીચે ઉતર્યા બાદ વિદ્યાર્થીની બસ આગળથી પસાર થવા જઈ રહી હતી ત્યારે બસના ડ્રાઈવરે બસ ચલાવી દેતા બસના ટાયર વિદ્યાર્થીની પર ફરી વળ્યા હતા. અને તેનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.    

જાહેરમાં ડોક્ટરનો ઊધડો લીધો.

પોસ્ટમોર્ટમ ન કરાતા ધારાસભ્યએ લીધો સિવિલ હોસ્પિટલના સત્તાધીશોનો ઉધડો!

વિદ્યાર્થીનીનું મોત થતા પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. પોસ્ટમોર્ટમ માટે જ્યારે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે ત્યાં હાજર ડોક્ટરે ફોરેન્સિક પીએમ કરવાની ના પાડી દીધી. આવા આક્ષેપ વિદ્યાર્થીનીના પરિવાર દ્વારા લગાવવામાં આવ્યા છે. આ વાતની જાણ ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડોક્ટરને ખખડાવ્યા હતા ઉપરાંત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનો પણ ઉધડો લીધો હતો. જે બાદ વિદ્યાર્થીનીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.