બિહારમાં બ્રિજ તૂટી પડતા સર્જાઈ દુર્ઘટના! ગંગા નદી પર નિર્માણધીન બ્રિજ ફરી એક વખત ધરાશાયી! ભ્રષ્ટાચાર અંગે ઉઠ્યા સવાલ!


  • Published By :
  • Published Date : 2023-06-05 11:11:36

થોડા સમય પહેલા ગુજરાતના મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકો કાળનો કોળિયો બન્યા હતા. ત્યારે બિહારના ખગરિયામાં અગુવાની સુલતાનગંજ વચ્ચે નિર્માણધીન બ્રિજ રવિવાર સાંજે ધરાશાયી થઈ ગયો હતો. પુલના ચાર સ્લેબ નદીમાં પડી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે કોઈ શ્રમિક કામ કરી રહ્યા ન હતા. બ્રિજનો લગભગ 192 મીટર ભાગ નદીમાં પડી ગયો હતો. પુલ પડવાની ઘટના સામે આવતા પુલ નિગમના એમડી સહિતની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. મહત્વનું છે કે આ બ્રિજ 1710.77 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.

   

નિર્માણધીન બ્રિજનો સ્લેબ થયો ધરાશાયી!

વર્ષ 2014માં મુખ્યમંત્રી નિતીશ કુમારે આ બ્રિજનો શિલાન્યાસ કર્યો હતો અને 2015થી આ બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર આ બ્રિજ 1710.77 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે રવિવાર સાંજે આ નિર્માણધીન બ્રિજનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. દુર્ઘટનામાં ચાર પિલર તૂટી પડ્યા હતા. 192 મીટરનો ભાગ નદીમાં પડી જતા નદીમાં અનેક ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. જે બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે તે પુલની લંબાઈ 3.16 કિમી છે. અગુવાની અને સુલતાનગંજ ઘાટ વચ્ચે બાંધવામાં આવી રહ્યો છે.    


આ પહેલા પણ બ્રિજના નિર્માણ દરમિયાન સર્જાઈ હતી દુર્ઘટના! 

બ્રિજ નિર્માણ દરમિયાન આવી પહેલી વાર ઘટના બની હોય તેવું નથી. ગયા વર્ષે પણ પુલના સ્લેબ ધરાશાયી થયા હતા. ત્રણ પિલરના 36 જેટલા સ્લેબ ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે આ વખતે બીજી વખત આવી દુર્ઘટના સર્જાઈ છે જેને કારણે આ બ્રિજના નિર્માણ કાર્યમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાની વાતો ચર્ચાઈ રહી છે.  


દુર્ઘટના માટે કોણ જવાબદાર તે અંગે કરાશે તપાસ!  

ગુજરાત હોય કે બિહાર દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય તે આવી ઘટનાઓ સાબિત કરે છે. કાગડા બધે કાળા જ હોય છે આ કહેવતને આવી ઘટનાઓ સાચી સાબિત કરે છે. આ ઘટના અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેનું કારણ શોધવામાં આવશે. પરંતુ આવી દુર્ઘટના સર્જાય જ નહીં તે અંગે વિચાર કરવામાં નહીં આવે. ખેર હવે ફરી આ દુર્ઘટના માટે શું કારણ આપે છે તે જોવાનું રહ્યું પણ દેશની જનતાના પરસેવાની કમાણી કેવી રીતે પાણીમાં વહી જાય છે તેનું ઉદાહરણ આ દુર્ઘટના બતાવી જાય છે.  


સરકારને ઘેરવાનો કરાયો પ્રયાસ!

આ દુર્ઘટનાને લઈ સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. પરબત્તાના ભાજપના ધારાસભ્ય ડો. સંજીવ કુમારે કહ્યું કે જે રીતે બ્રિજ તૂટી પડ્યો છે, આનાથી મોટો ભ્રષ્ટાચારનો પુરાવો શું હોઈ શકે? બ્રિજ બનાવવાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. ગયા વર્ષે જ્યારે પુલનો એક ભાગ તૂટી પડ્યો ત્યારે મેં વિધાનસભામાં ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી હતી.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!