ભારત અને UAE વચ્ચેનો વેપાર 100 અબજ ડોલરે પહોંચ્યો, UAE દેશમાં 50 અબજ ડોલરનું કરશે રોકાણ


  • Published By :
  • Published Date : 2023-11-03 18:48:14

ભારત દુનિયામાં સૌથી ઝડપથી હરણફાળ ભરી રહેલું અર્થતંત્ર છે. તમામ ગ્લોબલ એજન્સીઓની સાથે જ મોટા-મોટા દેશો પણ ભારતના વિકાસની પ્રશંસા કરી રહ્યા છે. ભારતની આ વિકાસયાત્રામાં હવે યુનાઈટેડ આરબ અમિરાત પણ જોડાવા જઈ રહ્યું છે. યુએઈ ભારતમાં મોટા મૂડીરોકાણની યોજના બનાવી રહ્યું છે. યુએઈનું આ અત્યાર સુધીનું સૌથી મોટું મૂડી રોકાણ હશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે યુએઈ ભારતમાં 50 અબજ ડોલરનું મૂડીરોકાણ કરશે. 


દ્વિપક્ષીય કારોબાર 100 અબજ ડોલરે પહોંચ્યો


બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, સંયુક્ત અરબ અમિરાત ખનીજ તેલની આવક પરની  તેની નિર્ભરતા ઘટવા માગે છે. યુએઈની સરકાર અન્ય ક્ષેત્રોમાં પણ મૂડીરોકાણ કરવાનો પ્લાન તૈયાર કરી રહી છે. ભારત અને યુએઈ વચ્ચેના સંબંધો ઘણા મજબુત છે, તે ઉપરાત બંને દેશો વચ્ચેનો વેપાર પણ સતત વધી રહ્યો છે.  હાલ ભારત અને યુએઈ વચ્ચે દ્વિપક્ષીય કારોબાર 100 અબજ ડોલર પર પહોંચી ગયો છે. આ સંબંધોને આગળ વધારવા માટે યુએઈ ભારતમાં 50 અબજ ડોલર એટલે કે 4 લાખ કરોડ રૂપિયાથી વધુનું મૂડીરોકાણ કરશે. 


આગામી વર્ષે જાહેરાત થાય તેવી સંભાવના


યુએઈ દ્વારા ભારતમાં 50 અબજ ડોલરના સંભવીત મૂડીરોકાણના સંબંધમાં જાહેર થયેલા રિપોર્ટમાં આ બાબતથી વાકેફ લોકોના મારફતથી કહેવામાં આવ્યું છે કે યુએઈ દ્વારા આ ઈન્વેસ્ટમેન્ટ અંગે આગામી વર્ષે એટલે કે વર્ષ 2024માં મોટી જાહેરાત થઈ શકે છે.  યુએઈ ભારતમાં જે સેક્ટરમાં મૂડી રોકાણ કરશે તેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ મુખ્ય છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.