ભારત અને UAE વચ્ચેનો વેપાર 100 અબજ ડોલરે પહોંચ્યો, UAE દેશમાં 50 અબજ ડોલરનું કરશે રોકાણ


  • Published By :
  • Published Date : 2023-11-03 18:48:14

ભારત દુનિયામાં સૌથી ઝડપથી હરણફાળ ભરી રહેલું અર્થતંત્ર છે. તમામ ગ્લોબલ એજન્સીઓની સાથે જ મોટા-મોટા દેશો પણ ભારતના વિકાસની પ્રશંસા કરી રહ્યા છે. ભારતની આ વિકાસયાત્રામાં હવે યુનાઈટેડ આરબ અમિરાત પણ જોડાવા જઈ રહ્યું છે. યુએઈ ભારતમાં મોટા મૂડીરોકાણની યોજના બનાવી રહ્યું છે. યુએઈનું આ અત્યાર સુધીનું સૌથી મોટું મૂડી રોકાણ હશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે યુએઈ ભારતમાં 50 અબજ ડોલરનું મૂડીરોકાણ કરશે. 


દ્વિપક્ષીય કારોબાર 100 અબજ ડોલરે પહોંચ્યો


બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, સંયુક્ત અરબ અમિરાત ખનીજ તેલની આવક પરની  તેની નિર્ભરતા ઘટવા માગે છે. યુએઈની સરકાર અન્ય ક્ષેત્રોમાં પણ મૂડીરોકાણ કરવાનો પ્લાન તૈયાર કરી રહી છે. ભારત અને યુએઈ વચ્ચેના સંબંધો ઘણા મજબુત છે, તે ઉપરાત બંને દેશો વચ્ચેનો વેપાર પણ સતત વધી રહ્યો છે.  હાલ ભારત અને યુએઈ વચ્ચે દ્વિપક્ષીય કારોબાર 100 અબજ ડોલર પર પહોંચી ગયો છે. આ સંબંધોને આગળ વધારવા માટે યુએઈ ભારતમાં 50 અબજ ડોલર એટલે કે 4 લાખ કરોડ રૂપિયાથી વધુનું મૂડીરોકાણ કરશે. 


આગામી વર્ષે જાહેરાત થાય તેવી સંભાવના


યુએઈ દ્વારા ભારતમાં 50 અબજ ડોલરના સંભવીત મૂડીરોકાણના સંબંધમાં જાહેર થયેલા રિપોર્ટમાં આ બાબતથી વાકેફ લોકોના મારફતથી કહેવામાં આવ્યું છે કે યુએઈ દ્વારા આ ઈન્વેસ્ટમેન્ટ અંગે આગામી વર્ષે એટલે કે વર્ષ 2024માં મોટી જાહેરાત થઈ શકે છે.  યુએઈ ભારતમાં જે સેક્ટરમાં મૂડી રોકાણ કરશે તેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ મુખ્ય છે.  



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.