હિમાચલમાં મુશળધાર વરસાદ, 72 લોકોના મોત, કુલ્લુ અને મનાલીમાં અંધારપટ યથાવત, 500 પર્યટકો ફસાયા


  • Published By :
  • Published Date : 2023-07-11 19:14:34

હિમાચલમાં કેટલાક દિવસોથી સતત થઈ રહેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. મુશળધાર વરસાદથી રાજ્યના તમામ મોટા શહેરોમાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજ્યમાં કરોડોની માલ મિલકતનું નુકસાન થયું છે. નદીઓ ગાડીતુર બનીને વહેતા મકાનો, માર્ગો અને હોટેલોને નુકસાન થયું છે. રાજ્યમાં ત્રણ નેશનલ હાઈવે સહિત 1235થી વધુ માર્ગો તુટી ગયા છે.


72 લોકોના થયા મોત


હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં ધોધમાર વરસાદના કારણે 72 લોકોના મોત થઈ ચુક્યા છે. તેમાંથી 30 લોકોના મોત તો રાજ્યમાં ચાર દિવસથી થઈ રહેલા ભૂસ્ખલનના કારણે થયા છે. સૌથી વધુ 22 મોત શિમલા જિલ્લામાં ત્યાર બાદ કુલ્લુમાં 16, સોલનમાં 6, હમીરપુરમાં 5, વિલાસપુર અને સિરમૌરમાં 3-3, મંડી, ઉના અને કિન્નોરમાં 2-2 અને કાંગડામાં એક વ્યક્તિનું મોત થયું છે.  


કુલ્લુ અને મનાલીમાં અંધારપટ


હિમાચલ પ્રદેશના કુલ્લુ અન મનાલીમાં વિદ્યુત અને ટેલિકોમ સર્વિસ 4 દિવસોથી સંપુર્ણપણે ઠપ થઈ ગઈ છે. પાણી ભરાવાના કારણે અને વીજપોલ ધરાશાઈ થતા આ સ્થિતી સર્જાઈ છે. કુલ્લુ ખીણના તમામ માર્ગો તુટી જતા વિસ્તારમાં જીવનજરૂરી ચીજોની અછત સર્જાઈ છે. લોકોને દુધ અને બ્રેડ પણ મળતા નથી.


400થી 500 પર્યટકો ફસાયા


કુલ્લુ જિલ્લામાં જ મણિકર્ણ ઘાટમાં મણિકર્ણ ગુરૂદ્વારાનો કેટલોક ભાગ નદીમાં વહી ગયો છે. તે ઉપરાંત મણિકર્ણથી બરશૈણીનો કેટલોક ભાગ વહી ગયો છે. મળતી જાણકારી મુજબ 400થી 500 પર્યટકો બરશૈણીના પુલગા, તુલગા, તોષ અને બરશૈણી પર્યટન સ્થળે ફસાઈ ગયા છે. સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર દ્વારા આ પર્યટકોને તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!