આવતી કાલે છે ઉત્તરાયણ, આ દિવસે દાન અને સ્નાનનો વિશેષ મહિમા


  • Published By :
  • Published Date : 2023-01-13 17:34:34

આપણે ત્યાં સૂર્યદેવને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ઉત્તરાયણના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે જેને કારણે આ દિવસને મકરસંક્રાતિ કહેવામાં આવે છે. ઉત્તરાયણ બાદ શુભ કાર્યોની શુભ શરૂઆત થાય છે. વર્ષ દરમિયાન 6 મહિના દક્ષિણાયન હોય છે અને 6 મહિના સુધી ઉત્તરાયણ હોય છે.  દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ સૂર્ય ગતિ કરશે.  


મકર સંક્રાતિએ સ્નાન અને દાનનો મહિમા

ઉત્તરાયણના દિવસે દાન, તપ તેમજ સ્નાનનો વિશેષ મહિમા રહેલો છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન તલનો ઉપયોગ કરવાથી વિશેષ લાભ મળે છે. અલગ અલગ પ્રકારથી તલનો ઉપયોગ કરવામાં આવે છે. તેલના તલથી માલિશ કરવી જોઈએ, તલ ઉમેરેલા જળથી સ્નાન કરવું જોઈએ. તલના દાનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આ પર્વ દરમિયાન સૂર્ય દેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. આ દિવસ દરમિયાન ગોળ, તલ, કપડા, ખીચડી અને પૈસાનું દાન કરવાનો વિશેષ મહત્વ રહેલું છે.     


ઉત્તરાયણના દિવસે ભગવાન સૂર્યની કરાય છે પૂજા 

મકરસંક્રાતિના દિવસે શકય હોય એટલા આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ પાઠ કરવાથી સૂર્યનારાયણ ભગવાનની કૃપા દ્રષ્ટિ ભક્તો પર રહે છે. આ દિવસે દાન કરવાનું મહત્વ તો છે જ પરંતુ તેની સાથે સાથે સ્નાન કરવાનો પણ મહિમા રહેલો છે. તીર્થસ્થાન પર જઈ કરવામાં આવેલું સ્નાન અનેક ઘણું ફળ આપે છે. જો તીર્થસ્થાન પર જવું શક્ય ન હોય તો ગંગા મૈયાનું ધ્યાન કરવું જોઈએ. અને સ્નાન કરતી વખતે આ મંત્રનું ઉચ્ચાર કરવું જોઈએ. ગંગે ચ યમુને ચૈવ, ગોદાવરી સરસ્વતી. કાવેરી સિન્ધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.