ટામેટાં હજુ વધુ રડાવશે, 300 રૂપિયા સુધી જઈ શકે છે ભાવ, 2 મહિના સુધી નહીં મળે રાહત


  • Published By :
  • Published Date : 2023-07-14 23:24:05

આસમાને પહોંચેલા ભાવના કારણે રસોડામાંથી ટામેટાં ગાયબ થઈ ગયા છે. દેશમાં ઘણી જગ્યાએ ટામેટાં 200 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. લોકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે અડધા ભાવે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે. પરંતુ લોકોને જલ્દી રાહત મળે તેવી આશા નથી. જાણકારોના મતે આગામી દિવસોમાં ટામેટાના ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. મિડીયા રિપોર્ટ અનુસાર ટામેટાના ભાવમાં હજુ વધારો થઈ શકે છે. આગામી 2 મહિના સુધી ગ્રાહકોને રાહત મળવાની નથી.


શા માટે કિંમતો વધી રહી છે?


દેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદને કારણે ટામેટાના ભાવમાં વધારો થયો છે. ટામેટાના ભાવમાં 300 ટકાનો વધારો થયો છે. અવિરત વરસાદને કારણે નવા પાકનું વાવેતર પણ થઈ રહ્યું નથી. આવી સ્થિતિમાં, ભાવ ટૂંક સમયમાં નીચે આવવાની શક્યતા ઓછી છે.


ટામેટાંનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે?   


ટામેટાનું 91 ટકા  ઉત્પાદન મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઓડિશા, બિહાર, છત્તીસગઢ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને હરિયાણામાં થાય છે. આ વખતે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વાયરસને કારણે ટામેટાંનો પાક ખરાબ રીતે નાશ પામ્યો હતો.


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.