ટામેટાં હજુ વધુ રડાવશે, 300 રૂપિયા સુધી જઈ શકે છે ભાવ, 2 મહિના સુધી નહીં મળે રાહત


  • Published By :
  • Published Date : 2023-07-14 23:24:05

આસમાને પહોંચેલા ભાવના કારણે રસોડામાંથી ટામેટાં ગાયબ થઈ ગયા છે. દેશમાં ઘણી જગ્યાએ ટામેટાં 200 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. લોકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે અડધા ભાવે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે. પરંતુ લોકોને જલ્દી રાહત મળે તેવી આશા નથી. જાણકારોના મતે આગામી દિવસોમાં ટામેટાના ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. મિડીયા રિપોર્ટ અનુસાર ટામેટાના ભાવમાં હજુ વધારો થઈ શકે છે. આગામી 2 મહિના સુધી ગ્રાહકોને રાહત મળવાની નથી.


શા માટે કિંમતો વધી રહી છે?


દેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદને કારણે ટામેટાના ભાવમાં વધારો થયો છે. ટામેટાના ભાવમાં 300 ટકાનો વધારો થયો છે. અવિરત વરસાદને કારણે નવા પાકનું વાવેતર પણ થઈ રહ્યું નથી. આવી સ્થિતિમાં, ભાવ ટૂંક સમયમાં નીચે આવવાની શક્યતા ઓછી છે.


ટામેટાંનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે?   


ટામેટાનું 91 ટકા  ઉત્પાદન મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઓડિશા, બિહાર, છત્તીસગઢ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને હરિયાણામાં થાય છે. આ વખતે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વાયરસને કારણે ટામેટાંનો પાક ખરાબ રીતે નાશ પામ્યો હતો.


ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?