ટામેટાના ભાવ લાલચોળ થયા પણ ગૃહિણી સિવાય કોઈને શું લેવાદેવા?


  • Published By : Payal rathod
  • Published Date : 2023-06-30 17:41:34

ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં દીપિકા પાદુકોણે કહ્યું હતું કે "એક ચૂટકી સિંદુર કી કિંમત તુમ કયા જાનો રમેશ બાબુ?" અને મારે તમને પૂછવું છે કે "એક ટમાટર કી કિમત તુમ કયા જાનો .. બાબુ?" ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે અને આ લાલ લાલ ટામેટાએ ગૃહિણીના પાકીટ લાલ કરી દીધા છે 



છેલ્લા અઠવાડિયામાં , દેશભરના અનેક શહેરોમાં ટામેટાની છૂટક કિંમત ₹ 60 પ્રતિ કિલોને વટાવી ગઈ છે, મંગળવારે કેટલાક સ્થળોએ ટામેટાના ભાવ ₹ 100/ કિલોએ પહોંચી ગયા હતા.ત્યારે ઘરમાં તો ગૃહિણીઓ આ જ વાતથી જીવ બાળતી હોય છે, તો આજે અમે કઈંક અલગ કર્યું. આજે અમે યુવાનોને જઈને પૂછી લીધું કે ‘ભાઈ તમને ખ્યાલ છે કે ટામેટાના ભાવ શું ચાલે છે? ક્યારેય તમે શાકભાજી લેવા ગયા છો ખરી?’ આ સવાલ યુવાનોને કરવાનું એક મોટું કારણ એ હતું કે યુવાધન આમ "ધન" વિશે બહુ ના વિચારે. ક્યાંથી પૈસા આવ્યા? ક્યાં ગયા? દેશમાં શું ચાલે છે? વગેરે વગેરે. તેથી અમે નક્કી કર્યુ કે આ વખતે ટામેટાને લઈને અમારે ગૃહણીઓને નહીં પરંતુ યુવા વિદ્યાર્થીઓને સવાલ કરવા છે અને અમે જે સવાલો કર્યા પછી અમને તો જે યુવાનો તરફથી જવાબ મળ્યા છે, એ જવાબો અને એમના તર્ક સાંભળીને અમે પણ દંગ રહી ગયા!


"ભાવ વધે તો અમને શું ફરક પડે"

અમે એક છોકરા સાથે વાત કરી એ એકદમ હળવા અંદાજમાં જવાબ આપી રહ્યો હતો. એના મગજમાં એમ હતું કે ટામેટાનો ભાવ 25-30 રૂપીયાથી વધારે નહીં હોય, પછી જ્યારે અમે એને કહ્યું કે ભાવ 100 સુધી પહોંચ્યો છે તો તેણે કહ્યું કે," શું ફરક પડે છે ભાવ વધાર હશે તો નહીં ખાઈએ, સસ્તા થશે ત્યારે ખાઈશુ. મને તો કંઈ ફરક નથી પડતો ભાવ વધે કે ઘટે. સરકાર જે ફાર્મર્સ લો (કૃષિ કાયદો) લાવવાની હતી તે ઠીક હતું, જો તે લાગુ થઈ જાત તો આ બધી સમસ્યા ન થાત" પણ શું તે છોકરાએ ક્યારે પણ ખેડૂતની જગ્યાએ રહીને વિચાર્યું હશે કે ખેડૂતો માટે તેમની ખેતી કેટલી મહત્વની છે અને તેમાં કેટલી મહેનત લાગે છે? શું તેને ખ્યાલ પણ હશે કે ખેડૂતને બિયારણથી લઈને પાક વેચવા સુધી કેટલી તકલીફ પડે છે? ઘરમાં AC વાળા રૂમમાં બેસીને અને અમદાવાદની ટોપક્લાસ કોલેજમાં ભણવાવાળા યુવાનો એ સમજી નહીં શકે! 


ખેડૂતોના પૈસા કોણ ખાઈ જાય છે?

એક યુવાનને જ્યારે અમે એમ કહ્યું કે, ટામેટાનો ભાવ 100 પ્રતિ કિલો છે, તો તેને ધ્રાસકો પડ્યો. અમે એને બીજો સવાલ કર્યો કે મધ્યમવર્ગ આટલી મોંઘી શાકભાજી લે છે પણ ખેડૂતોને તો પૈસા નથી જ મળતા તો પૈસા જાય છે ક્યાં? તો તે છોકરાએ જવાબ આપ્યો કે, વચ્ચેના લોકો એ પૈસા ખાઈ છે. ખેડૂત આટલી બધી મેહનત કરે, પરસેવો પાડે તો પણ તેને પોતાના પ્રોડક્ટના પૈસા નથી મળતા અને ટામેટાના ભાવ વધવાને કારણે અમારે તો હવે હોસ્ટેલમાં ટામેટાનું સલાડ પણ નહીં મળે! બીજું શું? 


યુવાનો કેમ દેશના અર્થતંત્ર અને મોંઘવારી જેવા મુદ્દા પર વાત નથી કરતાં? 

પ્રશ્ન એ છે કે યુવાનો બધી જ વાતને એવી રીતે લઈ લે છે કે અમારે શું? અમને શું ફરક પડવાનો છે "એનાથી અમારે શું?" પણ યુવાનો આ દેશનું ભવિષ્ય છે અને આપણા અર્થતંત્ર પર દેશ ટકેલો છે! જો તમને દેશની ગરીબી કે ભષ્ટ્રાચાર કે પછી મોંઘવારી જેવા મુદ્દા પર ફરક નથી પડતો તો કઈંક તો ખોટું છે! અને જે દિવસે આ દેશના લોકોને ફરક પડવાનું બંધ થઈ જશે ત્યારથી દેશના ભવિષ્યની કલ્પના કરવી અઘરી બની જશે!



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે