ટામેટા બાદ હવે ડુંગળીએ લોકોને રડાવ્યા, એક વર્ષમાં ભાવ 15 ગણો વધ્યો, સરકારે 40% નિકાસ ડ્યુટી લગાવી


  • Published By :
  • Published Date : 2023-08-20 20:04:18

ટામેટા બાદ હવે ડુંગળીના ભાવ લોકોને રડાવી રહ્યા છે. દેશભરમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ડુંગળી 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી. જ્યારે આજે ડુંગળીનો ભાવ 30-40 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. એટલે કે ડુંગળીના ભાવ 15 ગણા વધી ગયા છે. દિલ્હીમાં ડુંગળીનો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં રસોડાના બજેટમાં કોઈ રાહત નથી. ડુંગળી ગયા વર્ષના ભાવ કરતાં લગભગ 15 ગણી મોંઘી વેચાઈ રહી છે. દેશમાં ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે મોટો નિર્ણય લેવો પડ્યો છે. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લગાવી છે. જો કે, સરકારે કટોકટીનો સામનો કરવા માટે 3 લાખ ટન ડુંગળીનો સ્ટોક પણ જાળવી રાખ્યો છે. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.


ડુંગળી પર 40% નિકાસ ડ્યુટી


શનિવારે સરકારે ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યુટી લગાવી હતી. આ ડ્યુટી 31 ડિસેમ્બર 2023 સુધી અમલમાં રહેશે. અત્યાર સુધી ડુંગળીની નિકાસ પર કોઈ ટેક્સ લાગતો ન હતો. ડુંગળીની સ્થાનિક પ્રાપ્યતા વધારવા માટે આ ડ્યુટી લાદવામાં આવી છે. સરકારે ડુંગળીની નિકાસ પર આ પ્રતિબંધ એવા સમયે લગાવ્યો છે જ્યારે ડુંગળીની કિંમતો આસમાને પહોંચી જવાની આશંકા હતી. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ સ્થાનિક બજારમાં તેની ઉપલબ્ધતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. ચાલુ નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 4 ઓગસ્ટ વચ્ચે દેશમાંથી 9.75 લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. મૂલ્યની દ્રષ્ટિએ, ટોચના ત્રણ આયાત કરનારા દેશો બાંગ્લાદેશ, મલેશિયા અને સંયુક્ત આરબ અમીરાત છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.