વાત Gujaratની એક એવી શાળાની જ્યાં વિદ્યાર્થીઓ ગુરૂની ફરજ નિભાવે છે! 222 બાળકો વચ્ચે માત્ર 1 જ કાયમી શિક્ષક, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-21 17:05:17

પહેલાના જમાનામાં આપણે ત્યાં ગુરૂકુલ પરંપરા ચાલતી હતી. મતલબ કે સિનિયર વિદ્યાર્થીઓ જૂનિયર વિદ્યાર્થીઓને ભણાવે. આ વર્ષો પહેલાની વાત હતી. હવે જમાનો બદલાયો છે. પરંતુ આજે પણ અનેક એવી શાળાઓ છે જ્યાં શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓ પોતે શિક્ષક બની પોતાના પાછલા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ભણાવે છે. અમે વાત કરી રહ્યા છીએ વલસાડ જિલ્લામાં સરકારી અનુદાનથી ધરમપુર જિલ્લામાં આદિવાસી યુવક મંડળ દ્વારા આસુરાની આશ્રમ શાળાની જ્યાં વિદ્યાર્થીઓ પોતે જ શિક્ષક બની ભણાવે છે.       

આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ જ બન્યા ગુરુ  

જ્યારે એવું લાગવા લાગે કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે મંત્રીઓ અને બાબુઓ કામગીરી કરી રહ્યા છે બધુ સારુ છે એવો આભાસ કરાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય ત્યારે વિધાનસભામાં શિક્ષણની વ્યવસ્થાની પરિસ્થિતિ પૂછી લેવામાં આવે છે અને ગુજરાતની સરકારી શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલી જાય છે. વલસાડની એક શાળામાં પણ એવું જ થયું છે આસુરાની આશ્રમ શાળામાં શિક્ષકો નથી તો પહેલા ધોરણથી ત્રીજા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભણાવવા માટે તેનાથી મોટા વિદ્યાર્થીઓને જ શિક્ષક બનાવી દીધા છે અને વિદ્યાર્થીઓ જ નાના ભૂલકાઓને ભણાવી રહ્યા છે. 


ધોરણ 4-5ના વિદ્યાર્થીઓ ભણાવે છે ધો.3 સુધીના વિદ્યાર્થીઓને 

વલસાડ જિલ્લામાં સરકારી અનુદાનથી ધરમપુર જિલ્લામાં આદિવાસી યુવક મંડળ દ્વારા આસુરાની આશ્રમ શાળા ચાલે છે. આ શાળાની સ્થિતિ એટલી ખરાબ છે કે વાત ન પૂછો. આસુરા આશ્રમ શાળામાં ધોરણ 1થી ધોરણ 10માં 222 છોકરાઓ ભણે છે. અને એ બધાને ભણાવવા માટે સરકાર પાસે એક જ કાયમી શિક્ષક છે જે બધા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. જો કે તેમના સિવાય પણ બીજી પણ બે યુવતીઓ ભણાવવા આવે છે પણ એ ઈન્ટર્નશીપ પર આવે છે શિક્ષક નથી. ધોરણ 1થી 3ને ચોથા ધોરણના અને પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ ભણાવી રહ્યા છે. 

આત્મનિર્ભર ભારતના સૂત્રને વિદ્યાર્થીઓએ ગંભીરતાથી લીધો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાના સમયમાં એક સૂત્ર આપ્યું હતું આત્મનિર્ભર ભારત, એ જ આત્મનિર્ભર ભારતને આ શાળા દ્વારા ખૂબ ગંભીર રીતે લેવામાં આવ્યું છે. એટલે અહીં બાળકો જ શિક્ષક છે. આમાં શાળામાં રહેલા કાયમી આચાર્યા પણ શું કરે તેના પર કામનો ભારણ જ એટલો છે કે તે જો આવી રીતે ગોઠવણ ન કરે તો શાળાનું પરિણામ આવે અને જો શાળાનું પરિણામ નકારાત્મક આવે તો શિક્ષણ વિભાગ પછી શિક્ષકોનો કાઠલો પકડે. 


શાળામાં શિક્ષકોને નથી મૂકવામાં આવ્યા 

એવું નથી કે શાળામાં શિક્ષકો નથી મૂકાયા. હમણા ત્રણ મહિના પહેલા જ શિક્ષકો મૂકી દેવામાં આવ્યા છે પણ એ જે શિક્ષકો મૂકાયા એની નિમણૂક તો હજુ બાકી બોલે છે તો શિક્ષકો નિમણૂક વગર તો કેમ ભણાવે. સરકાર કે તંત્ર તો શિક્ષકોને વ્યવસ્થા પૂરવાર નથી પાડતી તો શિક્ષકો પછી પોતાની રીતે બાળકોને બીજી શાળામાં ભણાવવા મજબૂર બની રહ્યા છે. 


શાળાની પરિસ્થિતિ અંગે શિક્ષણ વિભાગને થવી જોઈએ જાણ

આ શાળાની પરિસ્થિતિ શિક્ષણ વિભાગને ખબર પડવી જોઈએ અને એના પર કડક પગલા લેવાવા જોઈએ કારણ કે આ ગુજરાત છે અહીં રસ્તા પર ખાડો હશે તો લોકો ચલાવી લેશે પણ જો ભવિષ્યની પેઢી સાથે આવું થશે તો આખી એક પેઢી બોગસ ઉભી થશે. પગલાની આશા રહેશે



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!