શેરબજારમાં બોલાયો કડાકો, સેન્સેક્સ 1628 પોઈન્ટ જ્યારે નિફ્ટી 460 પોઈન્ટ તૂટ્યો, રૂ. 4.7 લાખ કરોડ સ્વાહા


  • Published By :
  • Published Date : 2024-01-17 18:08:11

શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઘટાડા સાથે ખુલ્યા છે. એશિયન બજારોના નબળા વલણ અને બેંક શેરોમાં ભારે વેચવાલીથી શેરબજારમાં સવારથી જ ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈનો 30 શેરવાળો સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 1,371.23 પોઈન્ટ ઘટીને 71,757.54 પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 395.35 પોઈન્ટના ઘટાડા સાથે 21,636.95 પર ટ્રેડ કરી રહ્યો હતો.


આ શેર્સ છે ટોપ ગેનર અને લુઝર્સ 


આજના શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં ભારતી એરટેલ, ઈન્ફોસિસ, નેસ્લે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, આઈટીસી નિફ્ટીના શેરો ટોપ ગેઇનર્સમાં સામેલ રહ્યા હતા, જ્યારે HDFC બેન્ક, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક અને બજાજ ઓટોને ભારે નુકસાન સહન કરવું પડ્યું થયું હતું.  


આ કારણે શેર માર્કેટમાં થયો કડાકો


શેરબજારમાં આજે આવેલા આ કડાકાનું મુખ્ય કારણ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેની તંગદીલી છે. બંને દેશો વચ્ચેના સંબંધો વણસવાની અસર શેરબજાર પર જોવા મળી હતી. ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. આ હુમલા બાદ પાકિસ્તાને ઈરાન પર તેના એરસ્પેસના ઉલ્લંઘનનો આરોપ લગાવી તેના આ કૃત્યની આકરી નિંદા કરી છે અને ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. જેની અસર શેરબજાર પર જોવા મળી રહી હતી.


રોકાણકારોને રૂ. 4.7 લાખ કરોડનું નુકસાન  


બીએસઈ માર્કેટ કેપ અનુસાર, છેલ્લા સત્ર દરમિયાન રોકાણકારોની સંપત્તિ રૂ. 374.95 લાખ કરોડ નોંધાઈ હતી. બુધવારે તે રૂ. 4.69 લાખ કરોડ ઘટીને રૂ. 370.25 લાખ કરોડ થયો હતો.




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.