રાહુલ ગાંધીના દિલ્હીમાં 'હલ્લા બોલ' બાદ આજે ગુજરાતમાં પ્રવાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:43:09



કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસ આવવાના છે. રાહુલ ગાંધીની બપોરે 12 કલાકે સાબરમતીના રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસના 52 હજાર બુથ લેવલના કાર્યકરોને સંબોધશે. બુથના કાર્યકર્તાઓ સાથે સંકલ્પ સંમેલન કાર્યક્રમમાં ચૂંટણી અગાઉની રણનીતિ મામલે ચર્ચા કરશે અને ચૂંટણીની તૈયારીઓ અંગે ચકાસણી કરશે. રાહુલ ગાંધી બપોરે અઢી વાગ્યા રિવરફ્રન્ટથી અમદાવાદની સાબરમતી સ્થિત ગાંધી આશ્રમ જવા રવાના થશે. ગાંધી આશ્રમ ખાતે રાહુલ ગાંધી બાપુના આશિર્વાદ લેશે અને આશ્રમના લોકોની મુલાકાત લશે. આશ્રમ મુલાકાત બાદ રાહુલ ગાંધી સીધા દિલ્હી જવા રવાના થશે. 


ત્રણ કાળા કાયદા ખેડૂતો માટે નહીં પણ ઉદ્યોગપતિને લાભ પહોંચાડવાઃ રાહુલ ગાંધી

ગઈકાલે જ રાહુલ ગાંધીએ દિલ્હીના રામલીલા મેદાન ખાતે મોંઘવારી અને બેરોજગારી સહિતના વિવિધ મામલે કેન્દ્ર સરકારને ઘેરી હતી. મોંઘવારીના કારણે સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે તે સત્ય છે અને તેનાથી મોં ના ફેરવી શકાય. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, ગત આઠ વર્ષમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે, પરંતુ ભાજપ તેને રોકવાને બદલે લોકોમાં ભય અને હિંસા ફેલાવવાનું કામ કરે છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ત્રણ કાળા કાયદા ખેડૂતો માટે નહીં પરંતુ ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે હતા. પરંતુ ખેડૂતોની એકતા અને આંદોલન જોતા કેન્દ્ર સરકારે ત્રણ કાળા કાયદા પાછા ખેંચ્યા હતા.   


કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોતની ગુજરાત મુલાકાત

અશોક ગેહલો પણ ગુજરાત પ્રવાસે છે. અગાઉ અશોક ગેહલોતે ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાથી લઈ ગુજરાતના મોટા નેતાઓ સાથે મળીને ચૂંટણીલક્ષી કાર્યક્રમની વિગતો માગી હતી અને ચૂંટણી પહેલા બુથ લેવલના કાર્યક્રમ માટે જરૂર પડતું માર્ગદર્શન કાર્યકર્તાઓને આપ્યું હતું. 


આગામી 7 સપ્ટેમ્બરથી ભારત જોડો કાર્યક્રમ કરશે રાહુલ 

7 સપ્ટેમ્બરથી ભારત જોડો કાર્યક્રમ અંતર્ગત ભારત જોડો યાત્રાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે. 7 સપ્ટેમ્બરે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોંગ્રેસ ભારત જોડો યાત્રાનું આયોજન કરી રહી છે.   




દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.