રાહુલ ગાંધીના દિલ્હીમાં 'હલ્લા બોલ' બાદ આજે ગુજરાતમાં પ્રવાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:43:09



કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસ આવવાના છે. રાહુલ ગાંધીની બપોરે 12 કલાકે સાબરમતીના રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસના 52 હજાર બુથ લેવલના કાર્યકરોને સંબોધશે. બુથના કાર્યકર્તાઓ સાથે સંકલ્પ સંમેલન કાર્યક્રમમાં ચૂંટણી અગાઉની રણનીતિ મામલે ચર્ચા કરશે અને ચૂંટણીની તૈયારીઓ અંગે ચકાસણી કરશે. રાહુલ ગાંધી બપોરે અઢી વાગ્યા રિવરફ્રન્ટથી અમદાવાદની સાબરમતી સ્થિત ગાંધી આશ્રમ જવા રવાના થશે. ગાંધી આશ્રમ ખાતે રાહુલ ગાંધી બાપુના આશિર્વાદ લેશે અને આશ્રમના લોકોની મુલાકાત લશે. આશ્રમ મુલાકાત બાદ રાહુલ ગાંધી સીધા દિલ્હી જવા રવાના થશે. 


ત્રણ કાળા કાયદા ખેડૂતો માટે નહીં પણ ઉદ્યોગપતિને લાભ પહોંચાડવાઃ રાહુલ ગાંધી

ગઈકાલે જ રાહુલ ગાંધીએ દિલ્હીના રામલીલા મેદાન ખાતે મોંઘવારી અને બેરોજગારી સહિતના વિવિધ મામલે કેન્દ્ર સરકારને ઘેરી હતી. મોંઘવારીના કારણે સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે તે સત્ય છે અને તેનાથી મોં ના ફેરવી શકાય. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, ગત આઠ વર્ષમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે, પરંતુ ભાજપ તેને રોકવાને બદલે લોકોમાં ભય અને હિંસા ફેલાવવાનું કામ કરે છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ત્રણ કાળા કાયદા ખેડૂતો માટે નહીં પરંતુ ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે હતા. પરંતુ ખેડૂતોની એકતા અને આંદોલન જોતા કેન્દ્ર સરકારે ત્રણ કાળા કાયદા પાછા ખેંચ્યા હતા.   


કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોતની ગુજરાત મુલાકાત

અશોક ગેહલો પણ ગુજરાત પ્રવાસે છે. અગાઉ અશોક ગેહલોતે ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાથી લઈ ગુજરાતના મોટા નેતાઓ સાથે મળીને ચૂંટણીલક્ષી કાર્યક્રમની વિગતો માગી હતી અને ચૂંટણી પહેલા બુથ લેવલના કાર્યક્રમ માટે જરૂર પડતું માર્ગદર્શન કાર્યકર્તાઓને આપ્યું હતું. 


આગામી 7 સપ્ટેમ્બરથી ભારત જોડો કાર્યક્રમ કરશે રાહુલ 

7 સપ્ટેમ્બરથી ભારત જોડો કાર્યક્રમ અંતર્ગત ભારત જોડો યાત્રાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે. 7 સપ્ટેમ્બરે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોંગ્રેસ ભારત જોડો યાત્રાનું આયોજન કરી રહી છે.   




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.