આજે ખેલૈયા ચિંતા વગર ગરબા રમી શકશે !!!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 16:15:22

આજે ખેલૈયા ચિંતા વગર ગરબા રમી શકશે !!!!!!!

આજે નોરતાનો બીજો દિવસ છે ત્યારે હવામાન વિભાગએ આગાહી કરી છે કે આજે એકદમ અનુકૂળ વાતાવરણ રહશે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે વરસાદ પડવાની જરાય સંભાવના નથી. સોમવારે બપોરે અમદાવાદ પૂર્વમાં કેટલાક વિસ્તારમાં વરસાદ થયો હતો. જો કે, આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. એટલે ખેલૈયાઓને રાસ ગરબાની રમઝટ બોલાવતાં કોઈ નહીં રોકી શકે.

 

મન મૂકીને રમી રમજો !!!!

આજે ખેલૈયાઓએ નિશ્ચિત થઈને ગરબા રમવા પહોંચશે. કેમ કે, આજે વાતાવરણ સાનુકૂળ રહેવાનું છે. સાંજે 7 વાગ્યાથી લઈને મધરાત સુધી આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે.  જ્યારે રાતે એકદમ ઠંડક વાળું વાતાવરણ હોવાથી જોશ વધશે. અને ખેલૈયા દિલ ખોલી ગરબે ઘૂમી શકશે.

 

પેહલા દિવસ વરસાદનું ઝાપટું પડ્યું હતું.

કાલ કેટલાક વિસ્તારમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા ત્યારે ગરબા રસિયામાં ડર હતો કે નવરાત્રીની મજા મેઘરાજ બગાડશે પરંતુ આજે એકદમ સાનુકૂળ વાતાવરણ છે .



જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.

હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે