આજે વાત 'નલ સે જલ યોજના'ની, માત્ર ચાર વર્ષની અંદર આટલા ઘરોમાં નળથી પહોંચ્યું પાણી, પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-09-06 10:10:35

અનેક યોજનાઓ એવી છે જે પેપર પર તો 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. પેપર પર 100 ટકા પૂર્ણ થઈ ગયેલી યોજનાની જાહેરાતો આખા દેશમાં કરવામાં આવે છે. યોજના શરૂ કરવા પાછળનો હેતુ સારો હતો કે દરેક ઘરમાં નળથી પાણી આવે અને ઘરની મહિલાઓને દૂર પાણી લેવા ન આવવું પડે. આ યોજના પાછળ કરોડો ખર્ચવામાં આવ્યા. આ યોજનામાં સાવ કામ નથી થયું એવું પણ નથી. અનેક અંતરિયાળ વિસ્તારોમાં પાણી નળથી આવે છે. મહિલાઓને પાણી ભરવા માટે દૂર દેગડા લઈને ચાલીને પણ નથી જવું પડતું. 

અનેક જગ્યાઓ પર નળથી આવી રહ્યું છે પાણી  

ગામડાઓમાં પાણી પહોંચ્યું છે, વિકાસના કામો થયા છે પરંતુ જ્યારે 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેવી જાહેરાતો કરવામાં આવે છે તેનાથી અમને વાંધો છે. જમાવટની ટીમ જ્યારે ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ કરવા જાય છે ત્યારે અનેક એવા લોકો મળે છે જે આજે પણ પાણી ભરવા માટે ચાલીને જાય છે. ગુજરાત સહિત અનેક રાજ્યોથી એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં પાણી ભરવા માટે મહિલાઓને સંઘર્ષ કરવો પડે છે . સરકાર દ્વારા યોજનાઓ તો લાવવામાં આવે છે, અમુક જગ્યાઓ પર તેનું અમલીકરણ પણ સારું થાય છે પરંતુ અનેક ગામડાઓ એવા છે જ્યાં હજી સુધી યોજનાનો લાભ નથી પહોંચ્યો. 

ન માત્ર ગુજરાતમાં પરંતુ અનેક રાજ્યોમાં પરિસ્થિતિ સરખી જોવા મળી!

ગુજરાતમાં અનેક ગામો એવા છે જ્યાં નળ તો પહોંચી ગયા છે પરંતુ પ્રતિક્ષા છે નળમાંથી જળ આવવાની. અનેક જગ્યાઓ પર તો નળ પણ તૂટી ગયા છે. જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ નર્મદા નદીના કિનારે વસેલા ગામોમાં કરવામાં આવ્યું ત્યારે સૌથી વધારે દુખ થયું. દુખ એ વાતનું થયું કે જે નદીથી આખું ગુજરાત ચાલે છે. ગુજરાત માટે જે નદી જીવા દોરી સમાન છે ત્યાંથી એકદમ નજીક રહેતા લોકોને જ પાણી માટે અનેક કિલોમીટર દુર જવું પડે છે. સરકારની યોજનાઓ તો સારી હોય છે પરંતુ અનેક વખત ગાંધીનગર અથવા તો દિલ્હીથી નીકળેલી યોજનાઓ વચ્ચે આવતા અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોને કારણે લોકો સુધી નથી પહોંચતી જે યોજનાના હકદાર છે. અમે તો ખાલી ગુજરાતના અંતરિયાળ વિસ્તારની વાત કરી પરંતુ દેશના અનેક રાજ્યોની હાલત આવી જ હશે. અનેક વખત એવા વીડિયો સામે આવતા હોય છે. 


પીએમ મોદીએ કરી ટ્વિટ 

આજે અચાનક નલ સે જલ યોજનાની વાત એટલા માટે કરવી છે કારણ કે પીએમ મોદીએ એક ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ ગજેન્દ્રસિંહ શેખાવતની ટ્વિટને રિ-ટ્વિટ કરી છે. પીએમ મોદીએ જે  ટ્વિટને રિ-ટ્વિટ કરી છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે છેલ્લા ચાર વર્ષમાં કેટલા ઘરમાં નળના માધ્યમથી પાણી પહોંચ્યું છે. માત્ર ચાર વર્ષની અંદર ગ્રામીણ ભારતના ઘરોમાં નળ કનેક્શનની સંખ્યા 3થી 13 કરોડ પહોંચી ગઈ છે. પીએમ મોદીએ કેપ્શનમાં લખ્યું છે કે ગ્રામીણ ભારતના મારા પરિવારજનો સુધી પીવા માટે શુદ્ધ પાણી પહોંચે તે માટે જલ જીવન મિશનની શરૂઆત કરી. 



જે દ્રશ્યો ઉપર બતાયા ત્યાંની પરિસ્થિતિ બદલાઈ હોય તેવી આશા 

આ સમાચાર વાંચ્યા પછી અનેક લોકો કહેશે કે નેગેટિવ વસ્તુઓ જ દર્શાવવામાં આવે છે. ના એવું નથી. નેગેટિવ કરતા પણ વાસ્તવિક દ્રશ્યો, વાસ્તવિક હકીકત દર્શાવવામાં આવે છે. જો બધા સારું જ બતાવશે તો એ વસ્તુ કોણ દર્શાવશે કે આ જગ્યાઓ પર કામ નથી થયા. યોજનાઓ હકદાર લોકો સુધી નથી પહોંચી. જે વીડિયો અમે તમને ઉપર બતાવ્યા આશા રાખીએ છીએ કે ત્યાં હમણાંની પરિસ્થિતિ અલગ હોય. તેમના ઘરોમાં પણ નળના માધ્યમથી પાણી આવતું હોય.  



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.