આજે છે World Sight Day : દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરૂવારે ઉજવાય છે આ દિવસ, જાણો શું છે આ વર્ષની થીમ?


  • Published By :
  • Published Date : 2023-10-12 13:40:22

વિશ્વભરમાં અલગ અલગ દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. કોઈ વખત આ દિવસની ઉજવણી તો કોઈ દિવસ આની ઉજવણી. પરંતુ શું તમને ખબર છે કે ઓક્ટોબરના બીજા ગુરૂવારે World sight dayની ઉજવણી કરવામાં આવે છે. શરીરના આમ તો દરેક અંગ અગત્યના છે પરંતુ તેમાં શરીરમાં આંખોનું મહત્વ અનેરૂ છે. આખ છે તો જ આપણે દુનિયાને જોઈ શકીએ છીએ, પ્રકૃતિની વિવિધતાને જાણી શકીએ છીએ. આંખ છે તો આ દુનિયાને આપણે જોઈ શકીએ છીએ પરંતુ એવા અનેક લોકો હોય છે જેમની પાસે આંખોની રોશની નથી હોતી. તેમની સામે અંધકાર પસરાયેલો હોય છે. આંખોનું મહત્વને લોકો સમજે તે માટે દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરૂવારે વર્લ્ડ સાઈટ ડે મનાવવામાં આવે છે. આ વર્ષે 12 ઓક્ટોબરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 

World Sight Day 2022: Theme, Significance, History, Quotes, Wishes, And  Tips For A Better Vision

દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરૂવારે ઉજવાય છે આ દિવસ 

એક સમય એવો હતો કે ઉંમરલાયક લોકોને જ ચશ્મા આવતા હતા. ઉંમરલાયક લોકો જ ચશ્મા પહેરેલા દેખાતા હતા પરંતુ હવે જમાનો બદલાયો છે. શાળામાં ભણતા બાળકોને ચશ્મા આવી ગયા છે. દૂરનું તેમને નથી દેખાતું. વિશ્વમાં ચશ્મા પહેરાઓની સંખ્યા કદાચ બિલિયનમાં હશે. આંખોની શક્તિ નબળી પડી રહી છે. દૂરનું જોવામાં લોકોને તકલીફ પડી રહી છે. દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરૂવારે વર્લ્ડ સાઈટ ડેની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કારણ કે લોકોને આંખોનું મહત્વ સમજાય. 

World Sight Day 2023

આ વર્ષે આ થીમ છે રખાઈ 

અનેક લોકો એવા છે કે તેઓ આંખની કાળજી નથી રાખતા. આંખોનું સ્વાસ્થ્ય સારૂ રહે અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.  આ દિવસની ઉજવણી  International Agency for the Prevention of Blindness (IAPB) દ્વારા કરવામાં આવે  છે. આ વર્ષની થીમ છે "કાર્યસ્થળમાં દ્રષ્ટિની જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવું." મહત્વનું છે કે કાર્યસ્થળ પર અનેક કલાકો સુધી કોમ્પ્યુટરની સામે બેસતા હોઈએ છીએ. તે ઉપરાંત મોબાઈલ સામે પણ અનેક કલાકો લોકો વિતાવતા હોય છે. આંખોની કાળજી આપણે લેતા નથી. 


આંખોને સારી રાખવા આ-આ કરવું જોઈએ

આંખોને સારી રાખવા માટે અનેક વસ્તુઓનું નિયમિત પાલન કરવું જોઈએ. બેલેન્સ ડાયટ લેવું જોઈએ, આંખોની નિયમિત તપાસ કરાવી જોઈએ, સનગ્લાસીસ પહેરવા જોઈએ. ધ્રૂમપાન ટાળવું જોઈએ. આરોગ્યની સ્થિતિઓનું સંચાલન કરવું જોઈએ, ડિજિટલ આંખ તાણ જાગૃતિ સહિતના અનેક વિષયો છે જેની પર ધ્યાન રાખવું જોઈએ. તે સિવાય પૂરતી ઉંઘ લેવી જોઈએ.  મહત્વનું છે કે આંખો સારી હશે તો જ દુનિયા દેખાશે. આંખો એકદમ સંવદેનશીલ છે.        



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!