Parliamentમાં No Confidence Motion પર ચર્ચાનો આજે બીજો દિવસ, Rahul Gandhi આજે સંસદમાં બોલી શકે છે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-09 11:07:44

અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં ચર્ચા થઈ રહી છે. ગઈકાલથી શરૂ થયેલી ચર્ચામાં કોંગ્રેસ દ્વારા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા જે ન્યુઝની હેડલાઈન્સ બની ગયા હતા. મણિપુરમાં ભડકી ઉઠેલી હિંસાને કારણે અનેક લોકોના મોત થયા છે, ત્યારે સંસદમાં આ મુદ્દાને લઈ હોબાળો અનેક વખત થયો છે. અને સંસદની કાર્યવાહી અનેક વખત સ્થગિત કરવામાં આવી છે. ત્યારે આ મુદ્દાને લઈ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. ગઈકાલે આ મુદ્દે ચર્ચાનો પ્રથમ દિવસ હતો અને કોંગ્રેસ દ્વારા અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી આ મુદ્દે પહેલા બોલવાના હતા પરંતુ તેમની બદલીમાં ગૌરવ ગોગોઈએ ચર્ચાની શરૂઆત કરી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર આજે બાર વાગ્યે સંસદમાં આ મુદ્દે રાહુલ ગાંધી બોલી શકે છે.

   

આવતી કાલે સંસદમાં પીએમ મોદી આપી શકે છે જવાબ

મણિપુર છેલ્લા અનેક મહિનાઓથી બળી રહ્યું છે. વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવેલા ગઠબંધનના સાંસદોએ મણિપુરની મુલાકાત લીધી હતી. તે પહેલા રાહુલ ગાંધીએ પણ મણિપુરની મુલાકાત લીધી હતી. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા હજી સુધી કેમ મણિપુરની મુલાકાત લેવામાં નથી આવી તેવો પ્રશ્ન ગૌરવ ગોગોઈ દ્વારા પૂછવામાં આવ્યો હતો. તે સિવાય મણિપુર વિશે બોલવામાં શા માટે પીએમ મોદીએ આટલો સમય લીધો તે અંગે પણ તેમણે પ્રશ્ન કર્યો હતો. ત્રીજો પ્રશ્ન તેમણે એ પૂછ્યો હતો કે મણિપુરના મુખ્યમંત્રીનું રાજીનામું કેમ નથી લેવામાં આવ્યું. મહત્વનું છે કે અનેક વખત મણિપુરની ચર્ચાઓ જ્યારે સંસદમાં શરૂ થઈ હતી ત્યારે ત્યારે ભારે હોબાળો થયો છે અને કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આવતી કાલે પીએમ મોદી સંસદમાં આ મામલે જવાબ આપશે. ચર્ચાની શરૂઆત રાહુલ ગાંધી કરી શકે છે તેવી માહિતી સામે આવી રહી છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવામાં આવી અને તેમને સાંસદ પદ પણ પાછું મળ્યું. ત્યારે આજે પ્રથમ વખત સાંસદ પદ મળ્યા બાદ તેઓ સંસદમાં બોલવાના છે. ત્યારે સંસદમાં રાહુલ ગાંધી શું બોલે છે તેની પર સૌ કોઈની નજર છે.      


થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!