Gyan sahayakના વિરોધમાં AAPની યુવા અધિકાર યાત્રા, TET-TATના ઉમેદવારોના સમર્થનમાં નિકળેલી દાંડીયાત્રા 2.0નો આજે બીજો દિવસ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-14 13:09:34

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે ચાલી રહ્યા છે. ટેટ-ટાટના ઉમેદવારોની માગ છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે અને કરાર આધારીત ભરતીને નાબુદ કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ રીતે જ્ઞાન સહાયક પ્રોજેક્ટને રદ્દ કરાવા રજૂઆત કરી પરંતુ તેમના અવાજને સાંભળવામાં આવતો ન હતો. મૃદુ ગણાતી સરકાર પોતાના આ નિર્ણય પર મક્કમ દેખાઈ રહી છે. જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોને કોંગ્રેસનો તેમજ આમ આદમી પાર્ટીનો સાથ મળી રહ્યો છે. ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસે તેમજ આમ આદમી પાર્ટીએ રેલીનું આયોજન કર્યું હતું. 

દાંડી યાત્રા 2.0નો આજે બીજો દિવસ 

મહાત્મા ગાંધીએ 1930માં સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રા કરી હતી જ્યારે મીઠા પર કર લગાવવામાં આવ્યો હતો. ત્યારે ટેટ-ટાટ ઉમેદવારોએ ઉંઘી દાંડી યાત્રા શરૂ કરી છે. કરાર આધારીત ભરતી નાબુદ થાય તે માટે દાંડીથી ઉમેદવારોએ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ગઈકાલથી ઉમેદવારોના સમર્થનમાં યુવા અધિકાર યાત્રાની શરૂઆત કરી છે. આજે તે યાત્રાનો બીજો દિવસ છે. આ યાત્રામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ, ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા ઉપરાંત મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર છે.      


કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવ્યા શિક્ષણ બચાવો ધરણા 

કરાર આધારિત ભરતીનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોનું ભવિષ્ય જ અંધકારમય હોય તો તે કેવી રીતે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે? જ્ઞાનસહાયક નાબુદ કરવામાં આવે તે માટે ઉમેદવારો ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવી રહ્યા છે. આમ આદમી પાર્ટી સિવાય કોંગ્રેસ પણ ઉમેદવારોના સમર્થનમાં આવી છે. થોડા દિવસો પહેલા ગાંધીનગર ખાતે કોંગ્રેસે શિક્ષણ બચાવો ધરણા કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત હતા. તે બાદ જ્ઞાન સહાયકને રદ્દ કરાવા માટે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. દાંડી યાત્રા 2.0ની શરૂઆત ગઈકાલથી કરવામાં આવી છે. ત્યારે  ઉમેદવારો દ્વારા કરવામાં આવતું આંદોલન સફળ થાય છે કે નહીં તે આવનાર સમયમાં ખબર પડશે... 



માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે..

વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો છે.. અનેક વખત અલગ અલગ રીતથી ઉમેદવારો સરકાર સુધી પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા છે પરંતુ સરકાર સમક્ષ નહીં પરંતુ ગણપતિ દાદા સમક્ષ....

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાડીઓ હવામાં ઉડી રહી હોય તેવું લાગે.. હાલમાં જ અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે.