Gyan sahayakના વિરોધમાં AAPની યુવા અધિકાર યાત્રા, TET-TATના ઉમેદવારોના સમર્થનમાં નિકળેલી દાંડીયાત્રા 2.0નો આજે બીજો દિવસ


  • Published By :
  • Published Date : 2023-10-14 13:09:34

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે ચાલી રહ્યા છે. ટેટ-ટાટના ઉમેદવારોની માગ છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે અને કરાર આધારીત ભરતીને નાબુદ કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ રીતે જ્ઞાન સહાયક પ્રોજેક્ટને રદ્દ કરાવા રજૂઆત કરી પરંતુ તેમના અવાજને સાંભળવામાં આવતો ન હતો. મૃદુ ગણાતી સરકાર પોતાના આ નિર્ણય પર મક્કમ દેખાઈ રહી છે. જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોને કોંગ્રેસનો તેમજ આમ આદમી પાર્ટીનો સાથ મળી રહ્યો છે. ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસે તેમજ આમ આદમી પાર્ટીએ રેલીનું આયોજન કર્યું હતું. 

દાંડી યાત્રા 2.0નો આજે બીજો દિવસ 

મહાત્મા ગાંધીએ 1930માં સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રા કરી હતી જ્યારે મીઠા પર કર લગાવવામાં આવ્યો હતો. ત્યારે ટેટ-ટાટ ઉમેદવારોએ ઉંઘી દાંડી યાત્રા શરૂ કરી છે. કરાર આધારીત ભરતી નાબુદ થાય તે માટે દાંડીથી ઉમેદવારોએ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ગઈકાલથી ઉમેદવારોના સમર્થનમાં યુવા અધિકાર યાત્રાની શરૂઆત કરી છે. આજે તે યાત્રાનો બીજો દિવસ છે. આ યાત્રામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ, ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા ઉપરાંત મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર છે.      


કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવ્યા શિક્ષણ બચાવો ધરણા 

કરાર આધારિત ભરતીનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોનું ભવિષ્ય જ અંધકારમય હોય તો તે કેવી રીતે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે? જ્ઞાનસહાયક નાબુદ કરવામાં આવે તે માટે ઉમેદવારો ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવી રહ્યા છે. આમ આદમી પાર્ટી સિવાય કોંગ્રેસ પણ ઉમેદવારોના સમર્થનમાં આવી છે. થોડા દિવસો પહેલા ગાંધીનગર ખાતે કોંગ્રેસે શિક્ષણ બચાવો ધરણા કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત હતા. તે બાદ જ્ઞાન સહાયકને રદ્દ કરાવા માટે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. દાંડી યાત્રા 2.0ની શરૂઆત ગઈકાલથી કરવામાં આવી છે. ત્યારે  ઉમેદવારો દ્વારા કરવામાં આવતું આંદોલન સફળ થાય છે કે નહીં તે આવનાર સમયમાં ખબર પડશે... 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!