આજે BAPSનો ભવ્ય "સુવર્ણ કાર્યકર મહોત્સવ" જુઓ શું છે ખાસ ,મોદી સ્ટેડિયમમાં 1 લાખ હરિભક્તોનું મહાઆયોજન!


  • Published By : Payal rathod
  • Published Date : 2024-12-07 13:18:09

अक्षरम् अहं पुरुषोत्तम दासोस्मि 


એનો અર્થ થાય છે , "હું અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છું". આ મંત્ર મહંત સ્વામી મહારાજે આપ્યો હતો.  અને આજે  સ્વામિનારાયણ ભગવાનના જે દાસ છે એટલે કાર્યકર્તાઓ છે એ લોકો માટે BAPSએ "કાર્યકર સુવર્ણ મહોત્સવ"નું આયોજન કર્યું છે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનો છે..  


કેમ આટલો ભવ્ય કાર્યક્રમ? 


પ્રમુખસ્વામી મહારાજે 1972ની 7મી ડિસેમ્બરે કાર્યકરો માટે સંગઠિત માળખું તૈયાર કર્યું હતું. આજે 52 વર્ષ પછી તે વિશાળ વટવૃક્ષ બની ગયું અને એ ખુશીમાં  ભારત સહિત 30 દેશના 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. અને મહત્વની વાત એ છે કે 10 હજારથી વધુ સ્વયંસેવકો છેલ્લા 3 મહિનાથી આ કાર્યક્રમની તૈયારી કરી રહ્યાં છે. આ કાર્યકરો પ્રત્યે મહંત સ્વામીને એવી લાગણી છે કે બધા સ્વયં સેવકો છે બધુ પોતાના હાથે કર્યું છે 



કાર્યક્રમમાં શું છે ખાસ? 

મોદી સ્ટેડિયમમાં આજે સાંજે 5 વાગ્યે મહંત સ્વામીના 20 મિનિટના પ્રવેશોત્સવ બાદ આ વિચારનું બીજ કેવી રીતે રોપાયું, કેવી રીતે આ વૃક્ષ સર્જાયું અને આજે સમગ્ર સમાજને કેવી રીતે તેના ફળ મળી રહ્યાં છે તેની વાતો થશે સાથે જ આકર્ષણનું કેન્દ્રએ છે કે આકાશમાં ઉગતાં ફળો જોવા મળ‌શે, પાણીના એક ટીપામાંથી સમગ્ર સ્ટેડિયમમાં લહેર રચાશે સાથે જ  સેંકડો કલાકાર, લાઇટ, સાઉન્ડ અને પ્રોજેક્ટરના વિઝ્યુઅલ્સ સાથે તાલ મિલાવીને પ્રસ્તુતિઓ આપશે.


તો આ ભવ્ય કાર્યક્રમ તમે જમાવટ પર પણ નિહાળી શકશો ..... 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે