‘બીજાના ભલામાં આપણું જ ભલું છે…!’આ જીવનસૂત્રને ચરીતાર્થ કરનારા યુગ વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજનો આજે જન્મદિવસ


  • Published By :
  • Published Date : 2023-12-07 18:46:57

ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના પાંચમા ગુરુદેવ પ્રમુખસ્વામી મહારાજનો આજે જન્મદિવસ છે. બોચાસણવાસી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)ના અક્ષર નિવાસી વિશ્વ વંદનિય સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાભરમાં વિશાળ અનુયાયી વર્ગ ધરાવે છે. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ 7 ડિસેમ્બર, 1921ના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. તેમનું બાળપણનું નામ શાંતિલાલ પટેલ હતું. તેમના પિતાનું નામ મોતીભાઈ અને માતાનું નામ દિવાળીબા હતું. બાલ્ય અવસ્થાથી જ આધ્યાત્મિક્તાના રંગેરંગાયેલા પ્રમુખ સ્વામી મહારાજ હિમાલયમાં તપસાધના કરવા માગતા હતા. જો કે બાદમાં બોચાસણવાસી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)ના સંસ્થાપક  શાસ્ત્રીજી મહારાજનાં સંપર્કમાં આવ્યા બાદ તેમનું જીવન બદલાઈ ગયું હતું, શાળાનો અભ્યાસ પુરો થયા બાદ 18 વર્ષની વયે તેમણે શાસ્ત્રીજી મહારાજના ચરણે જીવન સમર્પિત કર્યું હતું. એક દિવસ તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજની ચિઠ્ઠી મળી, જેમાં તેમણે આદેશ કર્યો કે સાધુ થવા આવી જાઓ! આ આદેશવચનોને અદ્ધર ઝીલી કશાય કોલાહલ વિના શાંતિલાલે સહજતાથી ગૃહત્યાગ કરી ગુરુહરિનાં ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું. માતાપિતાએ પણ પ્રસન્નતાપૂર્વક તેઓને સાધુ થવા વિદાય આપી હતી. અમદાવાદની આમલીવાળી પોળમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અઢાર વર્ષીય શાંતિલાલને તા. 22-11-1939 (કાર્તિક શુક્લ 11, વિક્રમ સંવત 1996)ના રોજ પાર્ષદની દીક્ષા આપી. ત્યાર પછી સવા મહિના બાદ ગોંડલમાં તા. 11-1-1940 (પોષ સુદ એકમ, વિક્રમ સંવત 1996)ના રોજ ભાગવતી દીક્ષા આપી તેઓનું નામ નારાયણસ્વરૂપદાસ પાડ્યું. વર્ષ 1940માં તેમણે દીક્ષા લીધા બાદ તેઓ નારાયણસ્વરૂપદાસ સ્વામી બન્યા હતા. એક શાંત, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજે ‘બીજાના સુખમાં આપણું સુખ’ અને ‘બીજાના ભલામાં આપણું ભલું’ના જીવનમંત્રને ચરીતાર્થ કર્યો હતો.  




માત્ર 28 વર્ષની વયે બન્યા BAPSના ‘પ્રમુખ’


સાધુ નારાયણસ્વરૂપદાસ માત્ર દસ જ વર્ષમાં શાસ્ત્રીજી મહારાજના હૈયાનું રત્ન બની ગયા હતા. તા. 21-5-1950ના રોજ અમદાવાદની આમલીવાળી પોળમાં શાસ્ત્રીજી મહારાજે તેઓને 28 વર્ષની નાની ઉંમરે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા અને ત્યારથી તેઓ ‘પ્રમુખસ્વામીજી’ના લાડકવાયા નામથી લોકહૃદયમાં બિરાજી ગયા હતા. સન 1971માં તેઓએ તેમના પુરોગામી ગુરુ યોગીજી મહારાજના અનુગામી તરીકે બી.એ.પી.એસ. સંસ્થાના લાખો ભક્તો-સંતોનું ગુરુપદ સંભાળ્યું અને સૌને ‘પ્રમુખસ્વામી મહારાજ’ની ભેટ મળી,  ત્યારથી તેઓ પ્રમુખસ્વામી મહારાજના લોકપ્રિય નામથી લોકલાડીલા બન્યા હતા.



17,000થી વધુ ગામડાંઓ-નગરોમાં વિચરણ


પ્રમુખસ્વામી મહારાજ જીવનભર સતત ગામોગામ ઘૂમતા રહીને લોકોના જીવન-ઉદ્ધારની તેમણે આહલેક લગાવી હતી. આંખે મોતિયો, પિત્તાશય અને ગાંઠનું ઓપરેશન, પગે વા અને હાર્ટએટેક કે હૃદયની બાયપાસ સર્જરી – આવાં કંઈક શારીરિક દર્દોને ગણકાર્યા વગર લોકસેવા માટે તેઓ સત્તર હજાર કરતાંય વધુ ગામડાં-નગરોમાં વીજળીની ત્વરાથી ઘૂમી વળ્યા હતા. દિવસ હોય કે રાત, શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાનો બળબળતો તાપ, આદિવાસીઓનું ઝૂંપડું હોય કે જ્યાં રસ્તા પણ ન પહોંચ્યા હોય તેવાં ગામડાં હોય કે શહેર હોય, દેશ હોય કે પરદેશ – તેઓની વિચરણ ભાગીરથીમાં સ્નાન કરીને અસંખ્ય મુમુક્ષુઓએ પરમ શાતાનો અનુભવ કર્યો છે. નાત-જાત કે ધર્મના ભેદભાવોથી પર રહીને પ્રમુખસ્વામી મહારાજે અઢી લાખ ઘરોમાં પધરામણી કરીને તેઓનો આધ્યાત્મિક ઉત્કર્ષ કર્યો છે. સાડા સાત લાખ કરતાંય વધુ પત્રો દ્વારા તેઓએ લોકોને તેમની દ્વિધામાંથી ઉકેલ આપ્યા છે. એટલું જ નહીં, તેઓએ લાખો લોકોની શારીરિક-પારિવારિક-સામાજિક કે અન્ય મુશ્કેલીઓમાં એક સાચા સહૃદયી સ્વજન તરીકે રસ લઈને એના ઉકેલ લાવી વિક્રમસર્જક કાર્ય કર્યું હતું.









1100થી વધુ મંદિર નિર્માણનો ગિનીસ રેકોર્ડ


પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન સંસ્કૃતિના સંરક્ષણ માટે મંદિરોનાં નિર્માણ કરીને એક આગવી ભાત પાડી છે. દેશ-વિદેશમાં 1100થી વધુ પરંપરાગત ભારતીય શૈલીના ગૌરવવંતા મંદિરોનું નિર્માણ કરીને ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મનાં અજવાળાં સમગ્ર વિશ્વમાં ફેલાવ્યાં છે. પ્રમુખ સ્વામીનુ નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. એમાંય ગાંધીનગર અને દિલ્હીમાં તેઓએ રચેલા વિશ્વની આઠમી અજાયબી સમા સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરે ભારતીય સંસ્કૃતિનું સીમાચિહ્ન બની ગયા છે. આ સિવાય લંડનમાં દોઢ એકર જમીન પર સ્થાપિત હિંદુ મંદિર જે ભારત બહાર સૌથી મોટા મંદિર હોવાનો રેકોર્ડ પણ ધરાવે છે. 2001માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ પછી વિરાટ પાયે પુનર્વસનનું વિરાટ સેવાકાર્ય. 15 ગામો-વસાહતો દત્તક લઈને તેનું નવનિર્માણ, 49 શાળાઓનું પુનર્નિમાણ, 409 ગામોમાં રાહતસામગ્રીનું વિતરણ કર્યું હતું.





95 વર્ષે થયા બ્રહ્મલીન

 

પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષે 13 ઓગસ્ટ 2016ના રોજ  શનિવાર સાંજે છ વાગ્યે સારંગપુર ખાતે બ્રહ્મલીન થયા હતા.  છેલ્લા ઘણા સમયથી બીમાર પ્રમુખ સ્વામીની સાળંગપુર ખાતે સારવાર ચાલી રહી હતી. તેમની સારવાર કરવા માટે તબીબોની ટીમ પણ ખડપગે હતી. તેમના અક્ષરધામગમનના સમાચાર મળતા સમગ્ર વિશ્વમાં ફેલાયેલા લાખો હરિભક્તોમાં  ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. દેશ-વિદેશના 21 લાખથી વધુ લોકોએ તેઓનાં અંતિમ દર્શનનો લાભ પ્રાપ્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. તા. 17મી ઓગસ્ટના રોજ સારંગપુર ખાતે તેઓની અંત્યેષ્ટિ વિધિ કરવામાં આવી હતી. તેઓને અંજલિ અર્પતાં ભારત, અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા, આરબ દેશો સહિત સહિત અનેક દેશોના વડાઓ દ્વારા તેમજ પાર્લામેન્ટોમાં પણ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!