આજે Swami Vivekanandaની જન્મ જયંતી જેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવાય છે, શિકાગોમાં તેમણે આપેલા પ્રવચનને વાંચો..


  • Published By :
  • Published Date : 2024-01-12 18:14:54

"ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" 


આ શબ્દો નરેન્દ્રનાથ દત્તના જેમને આપણે સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ. આજે સ્વામી વિવેકાનંદને એટલે યાદ કરવા છે કારણ કે આજે તેમની જન્મ જયંતી છે. તેમના દ્વારા આપવામાં આવેલા ઉપદેશને તો પ્રતિદિન યાદ કરવા જોઈએ પરંતુ દરેક વસ્તુની જેમ આવા ઉદ્દેશય આપનાર મહાનપુરૂષોને આપણે કદાચ એક-બે દિવસો પૂરતા સિમીત કરી દીધા છે, એમાં અમે લોકો પણ આવી ગયા! આવા વ્યક્તિત્વ વિશે ચર્ચા મુખ્યત્વે ત્યારે કરવામાં આવે છે જ્યારે તેમની જન્મ જયંતી હોય કે પછી તેમની મરણ તિથી હોય. ત્યારે આજે થોડું જાણીએ સ્વામી વિવેકાનંદના જીવન વિશે. 

કઠિન મુશ્કેલીઓ વચ્ચે પણ દક્ષિણેશ્વરના ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ આ રીતે  બન્યા મહાન વિચારક | With This Things And Motivation Power Ram Krishna  Paramhans became Sant

રામ કૃષ્ણ પરમહંસને નરેન્દ્ર દત્તે બનાવ્યા આધ્યાતિમક ગુરૂ!

સ્વામી વિવેકાનંદજીનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં થયો હતો. સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમના પરિવાર વિશે વાત કરીએ તો તેમની માતા અને એક બહેન હતી. તેમના પિતાનું અવસાન તે નાના હતા ત્યારે થઈ ગયું હતું. વર્ષ 1881માં રામકૃષ્ણ પરમહંસ સાથે નરેન્દ્રદત્તની મુલાકાત થઈ અને તેમનું જીવન બદલાઈ ગયું. નરેન્દ્રદત્તે રામ કૃષ્ણ પરમહંસને પોતાના ગુરૂ તરીકે સ્વીકારી લીધા. રામ કૃષ્ણ પરમહંસના અવસાન બાદ તેઓ સન્યાસી બન્યા અને તેમનું નામ નરેન્દ્ર દત્તમાંથી સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાવવા લાગ્યા. 


શિકાગોમાં સ્વામી વિવેકાનંદે કર્યું હતું ભારતનું પ્રતિનિધિત્વ 

અનેક એવી વાતો, અનેક એવા ઉપદ્દેશ છે જેને લઈ સ્વામી વિવેકાનંદ આપણને યાદ આવતા હોય છે. પરંતુ શિકાગોના ધર્મ પરિષદમાં તેમણે આપેલું પ્રવચન આજે પણ યાદ કરવામાં આવે છે. 11 સપ્ટેમ્બર 1893માં સ્વામી વિવેકાનંદએ ધર્મ પરિષદમાં ભાગ લીધો, તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.પ્રવચનમાં તેમણે કહ્યું હતું.... 

अमेरिका में मेरे भाइयों और बहनों मुझे गर्व है कि मैं एक ऐसे देश से हूं, जिसने इस धरती के सभी देशों और धर्मों के सताए लोगों को शरण में रखा है। मैं आपको अपने देश की प्राचीन संत परंपरा की तरफ से धन्यवाद देता हूं। आपको सभी धर्मों की जननी की तरफ से भी धन्यवाद देता हूं और सभी जाति, संप्रदाय के लाखों, करोड़ों हिंदुओं की तरफ से आभार व्यक्त करता हूं। मेरा धन्यवाद कुछ उन वक्ताओं को भी जिन्होंने इस मंच से यह कहा कि दुनिया में सहनशीलता का विचार सुदूर पूरब के देशों से फैला है। मुझे इस बात का गर्व है कि मैं ऐसे धर्म से हूं जिसने दुनिया को सहिष्णुता और सार्वभौमिक स्वीकृति का पाठ पढ़ाया और हम सभी धर्मों को स्वीकार करते हैं। जिस तरह अलग-अलग जगहों से निकली नदियां, अलग रास्तों से होकर समुद्र में मिलती हैं, ठीक उसी तरह मनुष्य भी अपनी इच्छा से अलग रास्ते चुनता है। ये रास्ते दिखने में भले ही अलग-अलग लगते हैं लेकिन ये सभी ईश्वर तक ही जाते हैं।''


આવો જાણીએ સ્વામી વિવેકાનંદ દ્વારા આપવામાં આવેલા થોડા ઉપદેશય વિશે...

   


(અહીંયા આપેલી માહિતી એકત્રિત કરેલી છે)



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.