આજે છે શીતળા સાતમ, જાણો કેવું છે શીતળા માતાનું રૂપ અને શા માટે એક દિવસ ન ખાવું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ હોય છે ફાયદાકારક


  • Published By :
  • Published Date : 2023-09-06 14:48:44

ભારત દેશને તહેવારોનો દેશ માનવામાં આવે છે. અમુક તહેવારો તારીખ પ્રમાણે ઉજવાય છે તો અમુક તહેવાર તિથી પ્રમાણે ઉજવવામાં આવે છે. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો ભગવાન શંકરને સમર્પિત છે. પરંતુ આ મહિના દરમિયાન અનેક તહેવારો આવે છે જેની ઉજવણી ઉલ્લાસ સાથે કરવામાં આવતી હોય છે. ત્યારે આજે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી રહી છે. શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવામાં આવે છે, શીતળા સાતમની તૈયારી રાધણ છઠ્ઠથી થતી હોય છે. રાધણ છઠ્ઠના દિવસે જમાવાનું તૈયાર કરવામાં આવે છે અને શીતળા સાતમના દિવસે ખાવામાં આવે છે. આ દિવસે ચૂલો અથવા તો ગેસ સળગાવવામાં આવતો નથી.    



એક હાથમાં હોય છે સાવરણી અને એક હાથમાં હોય છે પાણી 

હિંદુ ધર્મમાં શીતળા સાતમનું વિશેષ મહત્વ રહેલું છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. પૂજા માટે વિશેષ મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. શીતળા માતાના સ્વરૂપનું વર્ણન સ્કંદપૂરણમાં જોવા મળે છે. માતાના સ્વરૂપની વાત કરી તો માતા ગદર્ભ પર સવારી કરે છે. એક હાથમાં ઠંડુ પાણી હોય છે અને બીજા હાથમાં સાવરણી અને લીમડાના પત્તા રાખે છે. 



વર્ષમાં એકવાર ઠંડુ ખાવાથી થાય છે અનેક ફાયદા 

હિંદુ ધર્મમાં મનાવાતા તહેવારની પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટી પણ હોય છે. ન માત્ર ધાર્મિક કારણો પરંતુ વૈજ્ઞાનિક કારણો પણ છુપાયેલા હોય છે. શીતળા સાતમમાં રાખવામાં આવતા ઉપવાસની વાત  કરીએ તો આ સમયગાળો એવો હોય છે જ્યારે બિમારીઓ વકરતી હોય છે. આ સમય દરમિયાન પાચનશક્તિ નબળી હોય છે. એવું પણ માનવામાં આવે છે કે આ જ કારણોને લઈ ચતુર્માસના ઉપવાસ કરવામાં આવે છે. વર્ષમાં એકવાર ઠંડુ ખાવાથી પેટ અને પાચનતંત્રને ફાયદો થાય છે. આ સમય દરમિયાન ઘણા લોકોને તાવ તેમજ શરદી, આંખ સંબંધિત સમસ્યાઓ રહેતી હોય છે. એવું માનવામાં આવે છે કે શીતળા સાતમના દિવસે વાસી ખોરાક ખાવાથી આ બધા રોગોથી બચી શકાય છે. 



વૈજ્ઞાનિક રીતે પણ ઉપવાસનું હોય છે મહત્વ

મહત્વનું છે કે હાલ વર્ષાઋતુ ચાલી રહી છે. આ સમય દરમિયાન ભોજન અને ખાણીપીણીનું વિશેષ ધ્યાન રાખવું પડતું હોય છે. જો આ સમય દરમિયાન સ્વાસ્થ્યને લઈ યોગ્ય કાળજી રાખવામાં નથી આવતી તો અનેક પ્રકારની બિમારીઓ થઈ જતી હોય છે. તેવી જ રીતે દિવસભર ભૂખ્યા રહેવાથી પાચન શક્તિમાં વધારો થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.  



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.