આજે છે ભાઈ બીજ, જાણો શા માટે મનાવવામાં આવે છે ભાઈ બીજનો તહેવાર?


  • Published By :
  • Published Date : 2024-11-03 16:40:36

આજે ભાઈ બીજનો તહેવાર છે.. ભાઈ બહેનના સંબંધને સમર્પિત આપણે અહીંયા અનેક તહેવારો છે તેમાંથી એક તહેવાર ભાઈ બીજનો છે... આ દિવસે ભાઈ બહેનના ઘરે જાય છે જ્યાં બહેન ભાઈના ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે... આ દિવસે યમુના નદીમાં ન્હાવાનું મહાત્મ્ય છે.. એવું માનવામાં આવે છે કે આજના દિવસે યમુના નદીમાં સ્નાન કરવાથી પુણ્યનો ઉદય થાય છે... આ દિવસે યમુનામાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે... 


અનેક વર્ષો બાદ યમને પોતાની બહેન યમુના યાદ આવી

આપણે ત્યાં મનાવામાં આવતા અનેક તહેવારો પાછળ અનેક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી હોય છે.. કોઈ દંતકથા પણ તહેવાર સાથે જોડાયેલી હોય છે. આજના તહેવાર પાછળ જોડાયેલી દંતકથાની વાત કરીએ તો સૂર્યની પત્ની સંજ્ઞાને એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ યમ અને પુત્રીનું નામ યમુના હતું. ધીરે ધીરે યમ અને યમુનાનું એક બીજા સાથેનું વર્તન બદલાવવા લાગ્યું.. આ જોઈને યમે પોતાનું અલગ શહેર વસાવ્યું જેને આપણે યમપુરી તરીકે ઓળખીએ છીએ.. લાંબા સમય બાદ યમને પોતાની બહેન યમુના યાદ આવી... બહેનને શોધવા માટે અલગ અલગ જગ્યાઓ પર સંદેશ વાહક મોકલ્યા પરંતુ યમુનાજી ના મળ્યા... 


બહેને પોતાના ઘરે ભાઈને ભોજન કરાવ્યું

બહેન ના મળી તે બાદ પણ યમજીએ અલગ અલગ જગ્યાઓ પર યમુનાજીની શોધખોળ ચાલુ રાખી અને અંતે યમજીને યમુનાજી ગોલોકમાં મળ્યા.. યમુનાજી પોતાના ભાઈને મળીને ખૂબ ખુશ થઈ ગયા... ખુશ થયેલા યમુનાજીએ પોતાના ભાઈને ભોજન કરવાનું જેનાથી યમ એકદમ પ્રસન્ન થઈ ગયા અને પોતાની બહેનને વચન માગવાનું કહ્યું...વચનમાં બહેન યમુનાએ કહ્યું કે આજના દિવસે મારા પાણીમાં બધાએ સ્નાન કરવું જોઈએ... ઉપરાંત એવું પણ કહ્યું કે ભાઈએ પોતાની બહેનના ઘરે ભોજન કરવું જોઈએ.. બહેનનું વચન સાંભળી યમે તેમને વરદાન આપ્યું અને આ તહેવારને આપણે ભાઈ બીજ તરીકે ઉજવીએ છીએ.... 


ભાઈના કપાળ પર તિલક કરી તેમને ભોજન કરાવું જોઈએ.. 

એવું પણ અનેક લોકો માનતા હોય છે કે આજના દિવસે જો કોઈનું મોત થાય છે તો તેને સ્વયં ભગવાન નારાયણ લેવા આવતા હોય છે.. કારણ કે યમ તો તેમના બહેન યમુનાના ઘરે ગયા હોય છે.. આ દિવસે ભાઈના કપાળ પર બહેનને તિલક કરવું જોઈએ.. ભાઈના આશીર્વાદ લેવા જોઈએ તેમજ ભાઈને જમાડવું જોઈએ... આપ સૌને પણ ભાઈ બીજ પર્વની હાર્દિક શુભકામના...



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે.. )



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.