ભાવનગર તોડકાંડ મામલે આજનો દિવસ મહત્વનો! ત્રણ આરોપીઓના જામીન અરજી પર થશે સુનાવણી! જાણો કોને મળી શકે છે રાહત?


  • Published By :
  • Published Date : 2023-06-09 17:15:06

થોડા સમય પહેલા જે વાતની હેડલાઈન્સ બની હતી તે તોડકાંડને લઈ આજે મહત્વનો દિવસ છે. યુવરાજસિંહના સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલ, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવાની જામીન અરજી પર આજે ભાવનગર કોર્ટમાં સુનાવણી થવાની છે. પહેલા આ કેસ ડમીકાંડનો હતો પરંતુ ધીમે ધીમે ડમીકાંડ તોડકાંડમાં બદલાઈ ગયો. યુવરાજસિંહને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા તે બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તે બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ મામલે ધીમે ધીમે અનેક આરોપીઓની  ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે ત્રણ આરોપીઓના જામીન અરજી પણ સુનાવણી થવાની છે. ત્યારે તોડકાંડમાં ઝડપાયેલા આરોપીઓ કાનભા ગોહિલ, બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાઘવાની જામીન મામલે ભાવનગર કોર્ટે 13 જૂનની મુદત આપી છે. આ મામલે હવે સુનાવણી 13 જૂન હાથ ધરાશે. 


યુવરાજસિંહની કરવામાં આવી હતી ધરપકડ!

સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડાતા હોવાનો ઘટસ્ફોટ યુવરાજસિંહે ઘણા સમય પહેલા કર્યો હતો. આ મામલે પોલીસે અનેક લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. અને અનેક લોકોની ધરપકડ પણ કરી હતી. તે બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો. તોડકાંડનો એન્ગલ આવી ગયો હતો. જેને કારણે ડમીકાંડ ઉપરથી ફોકસ તોડકાંડ પર આવી ગયો હતો. યુવરાજસિંહને પોલીસે તપાસ કરવા બોલાવ્યા હતા. તે બાદ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો અને તેમની ધરપકડ કરી લીધી હતી. 


ત્રણ આરોપીઓની જામીન અરજી પર થશે સુનાવણી!

યુવરાજસિંહની ધરપકડ બાદ આ મામલે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમાં તેમના સાળાનો સમાવેશ થાય છે. એક કરોડની ખંડણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે યુવરાજસિંહના સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલ, બિપિન ત્રિવેદી તેમજ ઘનશ્યામ લાધવાની જામીન અરજી પર સુનાવણી થવાની છે. 21 એપ્રિલના રોજ એસઓજીએ તોડકાંડ મામલે ગુન્હો દાખલ કર્યો હતો. ત્યારે આજે આ મામલે જામીન અરજી પર સુનાવણી થવાની છે.       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.