રાહુલ ગાંધી માટે આજે મહત્વનો દિવસ! મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર ગુજરાત હાઈકોર્ટમાં થશે સુનાવણી!


  • Published By :
  • Published Date : 2023-04-29 10:59:47

મોદી સરનેમને લઈ કર્ણાટકમાં રાહુલ ગાંધીએ એક નિવદેન આપ્યું હતું. વિવાદાસ્પદ નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે બધા ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે? આ નિવેદનને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા પણ રદ કરવામાં આવી હતી. ત્યારે આ ચૂકાદાને સુરતની સેશન્સ કોર્ટમાં નિર્ણય પર સ્ટે લાવવાની અરજી કરવામાં આવી હતી પરંતુ તે અરજીને ફગાવી દેવામાં  આવી હતી. જેને લઈ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેની સુનાવણી આજે થવાની છે. 


હાઈકોર્ટમાં હાથ ધરાશે આ મામલે સુનાવણી!

ગત બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના વકીલ દ્વારા અરજન્ટ સર્ક્યુલેશન માટે માગ કરવામાં  આવી હતી. જો આવી અપીલ કરવામાં આવે છે તેનો મતલબ થાય છે કે મામલે તાત્કાલિક સુનાવણી કરવામાં આવે. પરંતુ જસ્ટિસએ નોટ બિફોર મી અટલે કે પોતે આ અરજી સાંભળવાનો ઈન્કાર કર્યો હતો. 


શું રાહુલ ગાંધીને મળશે રાહત? 

મહત્વનું છે કે જસ્ટિસ ગીતા ગોપીએ 'નોટ બિફોર મી' કહ્યું હતું. દેશની કોર્ટમાં સુનાવણી જલદી થાય તે માટે કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા જુદા જુદા કેસની સુનાવણી જુદા જુદા જજો કરતા હોય છે. જેમાં કેટલીક વાર જજ દ્વારા 'નોટ બિફોર મી' કહેવામાં આવતું હોય છે. જેનો મતલબ થાય છે કે આ કેસની સુનાવણી તેઓ નહીં કરે. ત્યારે આ મામલે જસ્ટિસ ગીતા ગોપીએ પણ નોટ બિફોર મી કહી દીધું છે જેને લઈ હવે રાહુલ ગાંધી તરફથી સ્ટે માંગતી અરજીની સુનાવણી જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં થશે. જોવાનું એ રહ્યું કે શું રાહુલ ગાંધીને રાહત મળે છે કે પછી સજા યથાવત રહેશે?  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.