રાહુલ ગાંધી માટે આજે મહત્વનો દિવસ! મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર ગુજરાત હાઈકોર્ટમાં થશે સુનાવણી!


  • Published By :
  • Published Date : 2023-04-29 10:59:47

મોદી સરનેમને લઈ કર્ણાટકમાં રાહુલ ગાંધીએ એક નિવદેન આપ્યું હતું. વિવાદાસ્પદ નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે બધા ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે? આ નિવેદનને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા પણ રદ કરવામાં આવી હતી. ત્યારે આ ચૂકાદાને સુરતની સેશન્સ કોર્ટમાં નિર્ણય પર સ્ટે લાવવાની અરજી કરવામાં આવી હતી પરંતુ તે અરજીને ફગાવી દેવામાં  આવી હતી. જેને લઈ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેની સુનાવણી આજે થવાની છે. 


હાઈકોર્ટમાં હાથ ધરાશે આ મામલે સુનાવણી!

ગત બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના વકીલ દ્વારા અરજન્ટ સર્ક્યુલેશન માટે માગ કરવામાં  આવી હતી. જો આવી અપીલ કરવામાં આવે છે તેનો મતલબ થાય છે કે મામલે તાત્કાલિક સુનાવણી કરવામાં આવે. પરંતુ જસ્ટિસએ નોટ બિફોર મી અટલે કે પોતે આ અરજી સાંભળવાનો ઈન્કાર કર્યો હતો. 


શું રાહુલ ગાંધીને મળશે રાહત? 

મહત્વનું છે કે જસ્ટિસ ગીતા ગોપીએ 'નોટ બિફોર મી' કહ્યું હતું. દેશની કોર્ટમાં સુનાવણી જલદી થાય તે માટે કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા જુદા જુદા કેસની સુનાવણી જુદા જુદા જજો કરતા હોય છે. જેમાં કેટલીક વાર જજ દ્વારા 'નોટ બિફોર મી' કહેવામાં આવતું હોય છે. જેનો મતલબ થાય છે કે આ કેસની સુનાવણી તેઓ નહીં કરે. ત્યારે આ મામલે જસ્ટિસ ગીતા ગોપીએ પણ નોટ બિફોર મી કહી દીધું છે જેને લઈ હવે રાહુલ ગાંધી તરફથી સ્ટે માંગતી અરજીની સુનાવણી જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં થશે. જોવાનું એ રહ્યું કે શું રાહુલ ગાંધીને રાહત મળે છે કે પછી સજા યથાવત રહેશે?  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!