આજે ભુપત ભાયાણી સહિત આ પૂર્વ ધારાસભ્ય કેસરિયો કરી શકે છે ધારણ, રેશ્મા પટેલની પોલીસે કરી અટકાયત કારણ કે... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-03 11:19:42

થોડા સમય બાદ લોકસભા ચૂંટણી આવી રહી છે. ચૂંટણી પહેલા સામાન્ય રીતે રાજકારણ ગરમાતું હોય છે. નિવેદનો આપવામાં આવતા હોય છે. પરંતુ અનેક વખત એવું પણ જોવા મળતું હોય છે કે ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો થતો હોય છે. બીજી પાર્ટીના નેતાઓ ચૂંટણી પહેલા કેસરિયો ધારણ કરી લેતા હોય છે. ત્યારે આજે ભાજપમાં ફરીથી ભરતી મેળો થવાનો છે તેવા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી અને કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં જોડાઈ શકે છે. 3 ફ્રેબુઆરીના રાજ ભાજપમાં ભરતી મેળો થવાનો છે તેવી માહિતી સામે આવી છે.

Bhupat Bhayani, who won the Visavadar seat by defeating the BJP-Congress  leaders, has an impression of 108 | સરપંચથી લઈ ધારાસભ્ય સુધીની સફર: વિસાવદર  બેઠક પર ભાજપ-કૉંગ્રેસના નેતાઓને પછડાટ ...

આજે બે પૂર્વ ધારાસભ્યો જોડાઈ શકે છે ભાજપમાં!

ભારતીય જનતા પાર્ટીમાં આજે ભરતી મેળો યોજાવાનો છે તેવી માહિતી સામે આવી છે. ચૂંટણી પહેલા અનેક કાર્યકરો તેમજ નેતાઓ  કેસરિયો ધારણ કરી લેતા હોય છે. અલગ અલગ જગ્યાઓના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આજે ફરી એક વખત ભાજપમાં ભરતી મેળો થવાનો છે અને આજે આપના વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી તેમજ અરવિંદ લાડાણી ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે.


રેશ્મા પટેલે ભૂપત ભાયાણીને લઈ આપી હતી પ્રતિક્રિયા  

ગઈકાલે રેશ્મા પટેલે ભૂપત ભાયાણીને લઈ પ્રતિક્રિયા આપી છે. ગઈકાલે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં રેશ્મા પટેલે ભૂપત ભાયાણી પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે જ્યારે ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે ત્યારે તે (રેશ્મા પટેલ) ભૂપત ભાયાણીને વિશ્વાસઘાત બદલ જૂત્તુ મારવા ત્યાં જશે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પોલીસ દ્વારા રેશ્મા પટેલની અટકાયત કરી લેવામાં આવી છે. 

AAP વિધાનસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાશે - મુંબઈ સમાચાર

આ તારીખે ભૂપત ભાયાણીએ આપ્યું હતું રાજીનામું 

મહત્વનું છે કે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ 13 ડિસેમ્બરના રોજ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના પણ અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને તેઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!