નવરાત્રીમાં લવ જેહાદ રોકવા હિન્દુ સેના મેદાને, Jamnagarના ગરબા આયોજકોને Hindu સેનાની ચીમકી, "ગરબા રમવા તિલક કરો, ગૌમૂત્ર છંટકાવો"


  • Published By :
  • Published Date : 2023-10-13 16:54:39

રવિવારથી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થવાનો છે. ગરબે ઘૂમવા ખેલૈયાઓ ઉત્સુક છે. ગરબાને લઈ ખેલૈયાઓએ તૈયારીઓ પણ કરી લીધી હશે. ગરબાનું આયોજન થશે ત્યાં એમ્બ્યુલન્સ મૂકાશે ડોક્ટર રખાશે જેવી વાતો થઈ રહી છે ત્યારે ગુજરાત હિન્દુ સેના પણ કામે લાગી હોય એવું લાગે છે. પત્રિકા વહેંચીને તેમણે હિંદુ સ્ત્રીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. નવરાત્રીમાં ગરબા દરમિયાન હિન્દુ ધર્મના લોકો સિવાય બીજા કોઈને ન આવવા દેવા માટે તેમના દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે. 


લવ જીહાદના કિસ્સામાં થઈ રહ્યો છે વધારો!

થોડા સમય પહેલા વડોદરાથી એક સમાચાર સામે આવ્યા હતા જેમાં તિલક વગર કોઈને એન્ટ્રી આપવામાં નહીં આવે તેવી વાત સામે આવી હતી. ગરબામાં એન્ટ્રી ત્યારે જ મળશે જ્યારે માથા પર તિલક હોય. ધારાસભ્ય દ્વારા પણ આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત હિન્દુ સેનાના કહ્યા મુજબ લવ જીહાદના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. માટે ગુજરાત હિન્દુ સેનાના લોકો સ્ત્રીઓને અને નાગરિકોને પત્રિકાઓ વહેંચીને જાગૃતી લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 




જો ગરબામાં આવવું હોય તો આ નિયમોનું કરવું પડશે પાલન 

આ સિવાય તેમની માગ છે કે હમણા નવરાત્રિમાં જો કોઈને ગરબામાં આવવું હોય તો માથા પર તિલક લગાવવું અને ગૌમૂત્રનો છંટકાવ કરી, માતાજીની પ્રસાદી ખાધા પછી જ ગરબીમાં પ્રવેશ કરવો. ગુજરાત હિન્દુ સેનાએ ગરબા આયોજકોને ચીમકી આપી હતી કે દાંડિયારાસ આયોજકો અને સાઉન્ડ સિસ્ટમવાળા કોઈ લોકો હિન્દુ ધર્મ સિવાયના ન હોવા જોઈએ. આ કામ માત્ર હિંદુઓને જ આપવામાં આવે તેવી તેમની માગણી છે. 


જામનગરમાં પત્રિકા વહેંચાઈ! 

ગુજરાત હિન્દુ સેનાએ જામનગર શહેરના રસ્તાઓ પર પત્રિકા વહેંચી હતી તેમાં તેમણે લખ્યું હતું કે ચેતતો સમાજ સદા સુખી જાણો આતંકવાદના નવા રૂપ લવ જીહાદને.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.