ગરમીના પ્રકોપથી બચવા પ્રાણીસંગ્રહાલયમાં કરાઈ કુલરની વ્યવસ્થા, ઉપરાંત પ્રાણીના ખોરાકમાં કરાશે તરબૂચનો સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-04-20 14:07:43

ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં કુલર અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે. નોકટરેલ ઝુમાં જીઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવ્યા છે. પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઉપરાંત પાણીનો છંટકાવ પણ સતત કરવામાં આવી રહ્યો છે.         

 

પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે કરાઈ વ્યવસ્થા!

ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ગરમીનો પ્રકોપ સહન કરવા લોકો મજબૂર બન્યા છે. ગરમીથી રક્ષણ મેળવવા અનેક વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કૂલર, એસી તેમજ ઠંડા પીણાનું સેવન કરી આપણે ગરમીથી રક્ષણ મેળવી લઈએ છીએ પરંતુ અબોલ પ્રાણીઓ ગરમીનો માર સહન કરવા મજબૂર બન્યા છે. કાંકરિયા પ્રાણી સંગ્રાહલયમાં કુલર અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે. નોકટરેલ ઝુમાં જીઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવ્યા છે. પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 


1500 જેટલા પ્રાણીઓ પ્રાણી સંગ્રહાલયમાં કરે છે નિવાસ 

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં પ્રાણીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પ્રાણીસંગ્રહાલયમાં 25 જેટલા કુલરો અને ગ્રીન નેટ લગાવવામાં  આવી છે. દરેક પ્રાણીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કુલર ઉપરાંત નોકટરેલ ઝુમાં જીઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવ્યું છે. તે ઉપરાંત પાંજરામાં તરબૂચ રાખવામાં આવી છે. મહત્વનું છે કે કાંકરિયા પ્રાણીસંગ્રાહલયમાં 1500 જેટલા પશુ પક્ષીઓ રહે છે. ત્યારે તમામને ગરમીથી રક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!