મન કી બાત કાર્યક્રમને લઈ ટીએમસીના સાંસદનું ટ્વિટ! PGIMER વિવાદ વચ્ચે મહુઆ મોઈત્રાનું વિવાદિત Tweet!


  • Published By :
  • Published Date : 2023-05-12 16:14:44

30 એપ્રિલે પીએમ મોદીના રેડિયો કાર્યક્રમનો 100મો એપિસોડ આવ્યો હતો. ભાજપ દ્વારા આ દિવસ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. અનેક લોકો મન કી બાત સાંભળે તેવી વ્યવસ્થા ભાજપ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે મન કી બાત કાર્યક્રમ સાંભળવા ચંદીગઢની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ PGIMERના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓ સામેલ ન થયા હતા જેને લઈ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે તૃણુમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ એક વિવાદિત ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે મન કી બાતને મંકી બાત કહી દીધું.   


'મન કી બાત'ની જગ્યાએ સાંસદે કહ્યું 'મંકી બાત'!

ટીએમસીના સાંસદે મન કી બાત કાર્યક્રમ ન સાંભળનાર વિરૂદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે ટ્વિટ કર્યું હતું. ટ્વિટ કરતા સાંસદ મહુઆ મોઈત્રાએ લખ્યું કે મેં પણ મંકી બાત નથી સાંભળી. એકવાર પણ નહી. ક્યારેય સાંભળીશ પણ નહી. શું મને એક સપ્તાહ માટે પોતાના ઘરમાંથી બહાર નિકળવાની મનાઈ કરવામાં આવશે? આ ટ્વિટ ત્યારે કરવામાં આવી છે જ્યારે  PGIMERએ વિદ્યાર્થીઓને હોસ્ટેલની બહાર ન નીકળવા દીધા હતા. 


PGIMER વિદ્યાર્થીઓ વિરૂદ્ધ લેવાયા પગલા!

મહિનાના અંતિમ રવિવારે પીએમ મોદીનો મન કી બાત કાર્યક્રમ રેડિયો પર પ્રસારિત થતો હોય છે. ત્યારે 30 એપ્રિલે આ કાર્યક્રમના 100 એપિસોડ પૂર્ણ થયા હતા. મન કી બાત લાખો લોકો સાંભળે તે માટે ભાજપ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સફળ પણ થયો. પરંતુ જે લોકો આ કાર્યક્રમમાં સામેલ ન થયા હતા તે લોકો વિરૂદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે. ચંદીગઢની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ PGIMERના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓ સામેલ ન થયા હતા જેને લઈ 36 વિદ્યાર્થી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. એક અઠવાડિયા માટે હોસ્ટેલમાંથી બહાર 36 વિદ્યાર્થીઓને નીકળવા દેતા ન હતા.  


વિદ્યાર્થીઓ પાસેથી લીધો 100 રુપિયાનો દંડ! 

આ ઘટના માત્ર ચંદીગઢની નથી  દહેરાદુનની GRD નિરંજનપુર એકેડમીએ  PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે શાળામાં ન પહોંચેલા વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આ અંગે નેશનલ એસોસિએશન ફોર પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ રાઈટ્સના રાષ્ટ્રીય અધ્યક્ષ આરીફ ખાને મુખ્ય શિક્ષણ અધિકારી, દેહરાદૂનને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે. શિક્ષણ વિભાગે શાળાને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં જવાબ માંગ્યો હતો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.