રાષ્ટ્રપતિ અંગે કરેલી ટિપ્પણીનો વિડીયો વાયરલ થતા ટીએમસી નેતા અખિલ ગીરીએ કહ્યું - હું દિલગીર છું


  • Published By :
  • Published Date : 2022-11-12 17:02:15

મમતા બેનર્જી સરકારના નેતાનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંગે ટિપ્પણી કરતા નજરે પડ્યા હતા. નંદીગ્રામ ખાતે આયોજીત સભામાં સંબોધન કરતી વખતે અખિલ ગીરીએ રાષ્ટ્રપતિને લઈ શરમજનક ટિપ્પણી કરી હતી જેને લઈ ભારે વિવાદ સર્જાયો હતો. અખિલ ગીરીએ પોતાના આ નિવેદનને લઈ માફી પણ માગી લીધી છે. 


રાષ્ટ્રપતિનું અપમાન થયું હોય તો હું માફી માગું છું - અખિલ ગિરી   

પોતાની વાત રજૂ કરતા અખિલ ગીરીએ કહ્યું કે મેં રાષ્ટ્રપતિ કહ્યું હતું, કોઈનું નામ લીધું ન હતું. જો મારા નિવેદનથી ભારતના રાષ્ટ્રપતિનું અપમાન થયું હોય તો તે માટે હું માફી માગું છું. પોતાના સંબોધનમાં તેઓએ કહ્યું હતું કે અમે કોઈને તેના મોઢાથી નથી આંકતા, અને રાષ્ટ્રપતિ પદનું સન્માન કરીએ છીએ, પરંતુ આપણા રાષ્ટ્રપતિ કેવા દેખાય છે.

   

નિવેદન બાદ થયો હતો વિરોધ

આ ટિપ્પણીનો ભારે વિરોધ થયો હતો. ટીએમસી નેતાના આ નિવેદન બાદ મમતા બેનર્જીએ પણ આ વાતને લઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત આ વાત પર ભાજપે કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુ આદિવાસી સમુદાયથી છે અને મમતા સરકાર આદિવાસી વિરોધી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.