રાષ્ટ્રપતિ અંગે કરેલી ટિપ્પણીનો વિડીયો વાયરલ થતા ટીએમસી નેતા અખિલ ગીરીએ કહ્યું - હું દિલગીર છું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-12 17:02:15

મમતા બેનર્જી સરકારના નેતાનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંગે ટિપ્પણી કરતા નજરે પડ્યા હતા. નંદીગ્રામ ખાતે આયોજીત સભામાં સંબોધન કરતી વખતે અખિલ ગીરીએ રાષ્ટ્રપતિને લઈ શરમજનક ટિપ્પણી કરી હતી જેને લઈ ભારે વિવાદ સર્જાયો હતો. અખિલ ગીરીએ પોતાના આ નિવેદનને લઈ માફી પણ માગી લીધી છે. 


રાષ્ટ્રપતિનું અપમાન થયું હોય તો હું માફી માગું છું - અખિલ ગિરી   

પોતાની વાત રજૂ કરતા અખિલ ગીરીએ કહ્યું કે મેં રાષ્ટ્રપતિ કહ્યું હતું, કોઈનું નામ લીધું ન હતું. જો મારા નિવેદનથી ભારતના રાષ્ટ્રપતિનું અપમાન થયું હોય તો તે માટે હું માફી માગું છું. પોતાના સંબોધનમાં તેઓએ કહ્યું હતું કે અમે કોઈને તેના મોઢાથી નથી આંકતા, અને રાષ્ટ્રપતિ પદનું સન્માન કરીએ છીએ, પરંતુ આપણા રાષ્ટ્રપતિ કેવા દેખાય છે.

   

નિવેદન બાદ થયો હતો વિરોધ

આ ટિપ્પણીનો ભારે વિરોધ થયો હતો. ટીએમસી નેતાના આ નિવેદન બાદ મમતા બેનર્જીએ પણ આ વાતને લઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત આ વાત પર ભાજપે કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુ આદિવાસી સમુદાયથી છે અને મમતા સરકાર આદિવાસી વિરોધી છે.   



29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે..

અમદાવાદના શેલાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ભુવો પડી ગયો છે. કોંગ્રેસે આને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.