Diwaliના તહેવારને ધ્યાનમાં રાખી Gujaratના પ્રખ્યાત મંદિરોના સમયમાં કરાયો ફેરફાર, જાણો કયા મંદિરનો સમય બદલાયો?


  • Published By :
  • Published Date : 2023-11-10 12:02:30

આપણામાંથી અનેક લોકો એવા હશે જે બેસતા વર્ષની ઉજવણી મંદિરે ભગવાનના દર્શન કરી કરતા હોય છે. બેસતા વર્ષે મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. દિવાળીના પાંચ દિવસો દરમિયાન મંદિરોમાં માનવ મહેરામણ ઉમટતો હોય છે. ત્યારે દિવાળી પર્વને ધ્યાનમાં રાખી રાજ્યના મોટા મોટા મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શક્તિપીઠ અંબાજી, જગત મંદિર દ્વારકા સહિતના અનેક મંદિરોના સમયમાં બદલાવ કરાયો છે. 

હોળી-ફૂલડોલ મહોત્સવ દરમિયાન દ્વારકાધીશ જગત મંદિર ખાતે દર્શનના સમયમાં થશે  ફેરફાર | Sandesh

દ્વારકા મંદિરના સમયમાં કરાયો ફેરફાર 

દ્વારકા મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે મુજબ દિવાળીના દિવસે સવારે 5.30 વાગ્યે મંગળા આરતી થશે, તે ઉપરાંત દિવાળીના દિવસે રાત્રે 8 વાગ્યે હાટડી દર્શન થશે. 13 નવેમ્બરે દ્વારકા મંદિરમાં અન્નકુટ ઉત્સવ કરાશે. 13 તારીખે સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે તેવી માહિતી સામે આવી છે. 14 અને 15 નવેમ્બરે સવારે 6.30 વાગ્યે મંગળા આરતી થશે તેવી માહિતી સામે આવી છે. 

અંબાજી મંદિરમાં દર્શનનાં સમયમાં કરાયો ફેરફાર : હવે 3 ટાઈમ કરાશે આરતી |  Ambaji Temple Banaskantha Time Darshan


શક્તિપીઠ અંબાજીના દર્શનનો સમય પણ બદલાયો 

તે ઉપરાંત શક્તિપીઠ અંબાજીના સમયમાં પણ ફેરફાર કરવામં આવ્યો છે, યાત્રાધામ અંબાજી મંદિરમાં બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.