TikTok સ્ટાર કીર્તિ પટેલ સામે સુરતમાં નોંધાઈ વધુ એક FIR, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-21 15:01:27

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિવાદનું બીજુ નામ બની ગઈ છે, સોશિયલ મીડિયામાં સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ સામે સુરતમાં વધુ એક પોલીસે ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં કીર્તિ પટેલ અને તેના સાથીઓએ આઈશર ચાલકને રોકીને તેની સાથે બબાલ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને તમામ સામે  FIR નોંધવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પૂર્વે પણ કીર્તિ પટેલ સામે અલગ-અલગ ગુનાઓ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. 


સમગ્ર મામલો શું હતો?


પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ, સુરત જીલ્લાના કામરેજ ટોલ નાકા ખાતે તારીખ 19ની મોડી રાત્રે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ સહિત અન્ય લોકોએ ગાયો ભરેલા આઈશર ટેમ્પાને રોક્યો હતો. ત્યારબાદ તેની સાથે બબાલ કરી હતી અને ગાયને કતલખાને લઈ જવામાં આવે છે તેમ કહી આઇશર ટેમ્પાના ચાલકોને માર મારી જાહેરમાં ગંદી ગાળો બોલી હતી. આટલું જ નહીં તેમનો જાનથી મારી નાખવાની પણ ધમકીઓ આપવામાં આવી હતી. જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.


પોલીસ ઘટના સ્થળે પહોંચી


કીર્તિ પટેલ અને તેના સાથીઓએ આઈશર ટેમ્પા ચાલક સાથે કરેલી બબાલ દરમિયાન કોઈક વ્યક્તિએ બબાલના દ્રષ્યો કેમેરામાં કેદ કર્યા હતા. આ બનાવની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને ગાયો કતલખાને જાય છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જોકે ગાય કતલખાને ન જતી હોવાનું જાણવા મળતા પોલીસે બીજા દિવસે ગાયો ભરેલા વાહનને છોડી દેવામાં આવ્યું હતું. આ હોબાળાના કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.


પોલીસે નોંધી ફરીયાદ


આ સમગ્ર મામલે કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર આર.બી. ભટોળે જણાવ્યું હતું કે, જાહેરમાં હોબાળો કરી આઇશર ટેમ્પાના ચાલકોને માર મારી જાહેરમાં ગાળો બોલી ભયનો માહોલ ઊભા કરવા બદલ કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ, મેહુલ આહીર, વિરમ ભરવાડ સહિત અન્ય લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.