TikTok સ્ટાર કીર્તિ પટેલ સામે સુરતમાં નોંધાઈ વધુ એક FIR, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-21 15:01:27

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિવાદનું બીજુ નામ બની ગઈ છે, સોશિયલ મીડિયામાં સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ સામે સુરતમાં વધુ એક પોલીસે ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં કીર્તિ પટેલ અને તેના સાથીઓએ આઈશર ચાલકને રોકીને તેની સાથે બબાલ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને તમામ સામે  FIR નોંધવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પૂર્વે પણ કીર્તિ પટેલ સામે અલગ-અલગ ગુનાઓ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. 


સમગ્ર મામલો શું હતો?


પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ, સુરત જીલ્લાના કામરેજ ટોલ નાકા ખાતે તારીખ 19ની મોડી રાત્રે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ સહિત અન્ય લોકોએ ગાયો ભરેલા આઈશર ટેમ્પાને રોક્યો હતો. ત્યારબાદ તેની સાથે બબાલ કરી હતી અને ગાયને કતલખાને લઈ જવામાં આવે છે તેમ કહી આઇશર ટેમ્પાના ચાલકોને માર મારી જાહેરમાં ગંદી ગાળો બોલી હતી. આટલું જ નહીં તેમનો જાનથી મારી નાખવાની પણ ધમકીઓ આપવામાં આવી હતી. જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.


પોલીસ ઘટના સ્થળે પહોંચી


કીર્તિ પટેલ અને તેના સાથીઓએ આઈશર ટેમ્પા ચાલક સાથે કરેલી બબાલ દરમિયાન કોઈક વ્યક્તિએ બબાલના દ્રષ્યો કેમેરામાં કેદ કર્યા હતા. આ બનાવની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને ગાયો કતલખાને જાય છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જોકે ગાય કતલખાને ન જતી હોવાનું જાણવા મળતા પોલીસે બીજા દિવસે ગાયો ભરેલા વાહનને છોડી દેવામાં આવ્યું હતું. આ હોબાળાના કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.


પોલીસે નોંધી ફરીયાદ


આ સમગ્ર મામલે કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર આર.બી. ભટોળે જણાવ્યું હતું કે, જાહેરમાં હોબાળો કરી આઇશર ટેમ્પાના ચાલકોને માર મારી જાહેરમાં ગાળો બોલી ભયનો માહોલ ઊભા કરવા બદલ કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ, મેહુલ આહીર, વિરમ ભરવાડ સહિત અન્ય લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે