સોશિયલ મીડિયા પર ટાઈગર શ્રોફે રિલીઝ કર્યું ફિલ્મ ગણપથનું ટિઝર, શું તમે જોયુ ટિઝર?


  • Published By :
  • Published Date : 2023-02-23 08:07:40

બોલિવુડની ફિલ્મ મોટા પડદા પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ અનેક રેકોર્ડ તોડી રહી છે ત્યારે ટાઈગર શ્રોફે પોતાની આગામી ફિલ્મ ગણપથ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. સોશિયલ મીડિયા પર ટીઝર રિલીઝ કર્યું છે જેમાં તે ધાંસૂ એક્શન કરતા નજરે પડી રહ્યા છે. આ ફિલ્મથી ટાઈગર શ્રોફ મોટા પડદા પર ધૂમ મચાવવા તૈયાર છે.

  


20 ઓક્ટોબર 2023એ ફિલ્મ થવાની છે રિલીઝ  

છેલ્લા ઘણા સમયથી બોલિવુડની એવી અનેક ફિલ્મો આવી છે જેણે લોકોના દિલમાં જગ્યા બનાઈ છે અને રેકોર્ડબ્રેક કમાણી પણ કરી છે. ત્યારે ટાઈગર શ્રોફ પણ પોતાની આગામી ફિલ્મ ગણપથને લઈ ચર્ચામાં આવ્યા છે. એક્ટરે સોશિયલ મીડિયા પર ધમાકેદાર ટીઝર રિલીઝ કર્યું હતું જેમાં તેમણે લખ્યું કે એક એવી દુનિયા જ્યાં આતંકનું રાજ છે, ત્યાં ગણપથ આવી રહ્યો છે બનવા લોકોનો અવાજ. 20 ઓક્ટોબરના રોજ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ટીઝરમાં ટાઈગર શ્રોફ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. 


કૃતિ સેનન પણજોવા મળશે આ ફિલ્મમાં 

ટીઝર જેવું રિલીઝ થયું અને થોડી જ વારમાં હજારો લોકોએ જોઈ લીધું. ટીઝરને જોઈ અનેક ફેન્સે કમેન્ટ કરી હતી જેમાં જોવા મળ્યું હતું કે ટાઈગરના ફેન્સ આ ફિલ્મને લઈ ઉત્સુક્તા જોવા મળી હતી. તેમના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં ટાઈગરની સાથે કૃતિ સેનન પણ જોવા મળવાના છે. આ ફિલ્મમાં એક્શન થ્રિલર પણ જોવા મળશે. હિરોપંતી બાદ કૃતિ સેનન અને ટાઈગર શ્રોફ ફરી વખત એક સાથે જોવા મળશે. ગણપથ સિવાય ટાઈગરની બીજી એક ફિલ્મ પણ આવવાની છે.        




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે