નવી મુંબઈમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાઈ, અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા, ચાલી રહી છે બચાવ કામગીરી


  • Published By :
  • Published Date : 2024-07-27 12:09:32

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે.. નવી મુંબઈના શાહબાઝ ગામમાં આ ઘટના બની છે. મળતી માહિતી અનુસાર બિલ્ડીંગ ધરાશાઈ થતા અનેક લોકો કાટમાળમાં દબાયા હોઈ શકે છે. ઘટનાની જાણ થતા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાઈ થઈ!

ચોમાસા દરમિયાન અનેક વખત બનાવ બનતા હોય છે બિલ્ડીંગ ધરાશાઈ થવાના.. અનેક લોકો કાટમાળની નીચે દબાઈ જતા મોતને ભેટતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજા પામતા હોય છે. મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. ભારે વરસાદને કારણે નવી મુંબઈમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. નવી મુંબઈના શાહબાઝ વિસ્તારમાં બનેલી ગ્રાઉન્ડ પ્લસ નામની ત્રણ માળની ઈમારત અચાનક પડી ગઈ હતી. આ બિલ્ડીંગમાં 24 જેટલા પરિવારો રહેતા હતા. બિલ્ડિંગ ધરાશાઈ થતા ઘણા લોકો દટાયા હોઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.



ઉત્તરાખંડમાં પણ બની ઘટના જેમાં...!

ઘટનાની જાણ થતા જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી ગઈ હતી. પોલીસ, એનડીઆરએફ તેમજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી. મહત્વનું છે કે ભારે વરસાદને કારણે અનેક બિલ્ડીંગો ધરાશાઈ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઉત્તરાખંડથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં દુકાનો ધરાશાઈ ગઈ..  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે