જામનગર બિલ્ડીંગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા એક જ પરિવારના ત્રણ સભ્યોની નીકળી અંતિમ યાત્રા, ગામમાં છવાયો માતમ


  • Published By :
  • Published Date : 2023-06-24 18:57:23

રાજ્યમાં થોડા સમય બાદ ચોમાસુ સત્તાવાર રીતે બેસી જવાનું છે. પરંતુ તે પહેલા જ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ચોમાસાની સિઝન દરમિયાન અનેક બિલ્ડીંગો પડી જવાની ઘટનાઓ આવતી હોય  છે. જેમાં અનેક લોકોના મોત થઈ ગયા છે. ત્યારે શુક્રવારે જામનગરમાં હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું.આ ઘટનામાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે હાઉસિંગ બોર્ડના અનેક એવા ઘરો છે જ્યાં લોકો ડરના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે. 


એક જ પરિવારના ત્રણ સભ્યોની નીકળી અંતિમ યાત્રા 

વરસાદની સિઝનમાં અનેક વખત એવા સમાચારો આવતા હોય છે જેમાં મકાન તેમજ દિવાલ ધરાશાયી થતી હોય છે જેને કારણે માસુમ લોકોના જીવ જતા રહે છે. ત્યારે શુક્રવાર સાંજે જામનગરમાં એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. એક સાથે ત્રણ સભ્યોની અંતિમ યાત્રા નિકળી હતી. એક સાથે ત્રણ મૃતદેહો નીકળતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયોો હતો. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતા.      

મકાનોમાં લોખંડના સળિયા નીકળી ગયા છે.


છતની દીવાલો, સીડી સહિત ચારે તરફથી પોપડાં પડી રહ્યાં છે, ઘણી દીવાલો તો તૂટી પડી છે.

અનેક મકાનો પણ છે જર્જરિત 

મહત્વનું છે કે એવા અનેક બિલ્ડીંગ છે જે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. અનેક કોલોની એવી છે જ્યાં છતના પોપડા ઉખડી ગયા છે. બિલ્ડીંગની એવી હાલત છે કે તે ગમે ત્યારે પડી શકે છે. અનેક વખત તંત્ર દ્વારા ત્યાં રહેતા લોકોને નોટિસ આપવામાં આવી છે પરંતુ ત્યાં રહેતા લોકો પોતાના ઘરને છોડતા નથી.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.