વડોદરામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઓઢી મોતની ચાદર, કર્યો સામૂહિક આપઘાત


  • Published By :
  • Published Date : 2023-01-09 17:04:26

આપઘાતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન એવા અનેક સમાચારો સામે આવે છે જેમાં આપઘાત કરી લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. પારિવારિક, આર્થિક કારણોસર લોકો આપઘાત કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં એક પરિવારે સામુહિક આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરના ડભોઈ રિંગ રોડ ખાતે આવેલા દર્શનમ ડુપ્લેક્સમાં રહેતા પરિવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.


માસુમ પુત્રએ પણ માતા-પિતા સાથે ટૂંકાવ્યું જીવન  

છેલ્લા અનેક દિવસોથી આપઘાત કરનારાઓની સંખ્યા વધી રહી છે. નાની નાની વાતમાં લોકો પોતાનો જીવ આપી રહ્યા છે. વડોદરામાં એક નાના પરિવારે પોતાના ઘરમાં સામૂહિક આપઘાત કરી લીધો છે. ગળે ફાંસો ખાઈ સભ્યોએ પોતાનો પ્રાણ ત્યાગી દીધો છે. મળતી માહિતી અનુસાર મૃતક શેરબજારનો વ્યવસાય કરતા હતા. શેરબજારવા કામકાજ સાથે  સંકળાયેલા મિસ્ત્રી પરિવારે સાત વર્ષના માસુમ પુત્ર સાથે સામૂહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. 



સુસાઈડ નોટ લખી દુનિયાને કહ્યું અલવિદા 

મળતી માહિતી અનુસાર દર્શનમ ઉપવન ડુપ્લેક્ષમાં રહેતા પરિવારે પોતાના ઘરે જ મોતને વ્હાલું કર્યું છે. પ્રિતેશભાઈએ પોતાની પત્ની સ્નેહા અને સાત વર્ષના પુત્ર સાથે આપઘાત કર્યો છે. પ્રાથમિક તપાસ અનુસાર યુવકે પહેલા પત્ની અને પુત્રની હત્યા કરી તે બાદ પોતે આત્મહત્યા કરી લીધી છે. મરતા પહેલા મૃતકે સુસાઈડ નોટ લખી હતી જેમાં કયા કારણોસર આ પગલું ભરી રહ્યા છે તે જાણી શકાયું નથી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.