ગોવામાં આયોજીત થનાર નવમાં વિશ્વ આયુર્વેદિક સંમેલનમાં થશે ત્રણ ચિકિત્સા સંસ્થાનું ઉદ્ધાટન


  • Published By :
  • Published Date : 2022-12-07 08:47:00

દેશને ત્રણ ચિકિત્સા સંસ્થા મળવા જઈ જેમાં અભ્યાસની સાથે દર્દીઓનો ઈલાજ પણ કરવામાં આવશે. આ ત્રણ ચિકિત્સા સંસ્થામાં આયુર્વેદ, હોમીયોપેથી તેમજ યુનાની ચિકિત્સા પદ્ધતિ ભણાવામાં આવશે. કેંદ્રીય આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય આયુર્વેદિક સંસ્થા ગોવામાં શરૂ થશે. દિલ્હીમાં રાષ્ટ્રીય હોમીયોપેથી સંસ્થા શરૂ થશે જ્યારે ગાજિયાબાદમાં રાષ્ટ્રીય યુનાની સંસ્થાનો પ્રારંભ થશે. 

WHO to set up global centre on traditional medicine in India: PM Modi |  India News - Times of India

ત્રણેય સંસ્થાઓનું એક સાથે થશે ઉદ્ઘાટન 

પહેલી વખત દેશમાં ત્રણ ચિકિત્સા સંસ્થાનો પ્રારંભ એક સાથે થશે. આ ત્રણેય સંસ્થાનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. ગોવામાં આયોજીત થનાર નવમું વિશ્વ આયુર્વેદિક સંમેલનમાં આ સંસ્થાઓનું ઉદ્ધાટન થવાનું છે. કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનેવાલે જણાવ્યું કે પીએમ મોદીએ એક નવા આયુષ મંત્રાલયને બનાવ્યું છે અને ટૂંક સમય બાદ આ મંત્રાલયનું બજેટ અનેક ઘણું વધારવામાં આવશે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.