ભારતના ગૌરવમાં થયો વધારો, UNESCOની લિસ્ટમાં હોયસલાના ત્રણ મંદિરનો સમાવેશ, જાણો મંદિર સાથે જોડાયેલા ઈતિહાસ વિશે...


  • Published By :
  • Published Date : 2023-09-20 17:00:33

ભારતના અનેક સ્થાપત્યો છે જેમને હેરિટેઝ સાઈટનો દરજ્જો મળ્યો છે. ત્યારે કર્ણાટકમાં આવેલા ભારતના ભવ્ય સ્થાપત્ય વારસાનું ઉદાહરણ એવા હોયસાલાના 3 મંદિરોને યુનેસ્કોમાં વૈશ્વિક ધરોહર તરીકે સ્થાન મળ્યું છે- એટલે આ મંદિરો હવે ફક્ત ભારતની નહિ પણ દુનિયા આખાની ધરોહર બની ચુકી છે. આ પહેલા શાંતિનીકેતનને પણ વૈશ્વિક ધરોહરની યાદીમાં જોડવામાં આવ્યું હતું, પણ આજે વાત કરીયે આપણા વારસાના એક ભવ્ય અને સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમૂન કલાકૃતિ એવા હોયસલા મંદિરો વિષે કેમ અન્ય મંદિરો કરતા અલગ છે? શું છે તે મંદિરોની વિશેષતા જેને કારણે તે અલગ તરી આવે છે... .

Hoysala Empire - Wikipedia

कर्नाटक के होयसला मंदिर समूह UNESCO की वर्ल्ड हेरिटेज लिस्ट में शामिल, क्या  है इसका इतिहास! | Hoysala Temple of Karnataka included in UNESCO's World  Heritage List, what is its history! -

યુવાને સિંહની સાથે કરી લડાઈ  

સાલ નામનો એક જુવાનિયો 10મી સદીના તે સમયના કર્ણાટકના જંગલોમાં પોતાના ગુરુ સાથે મુસાફરી કરી રહ્યો હતો, રાની પશુથી ભરેલા જંગલમાં સિંહે હુમલો કર્યો અને આ સાલને ગુરુએ આદેશ આપ્યો કે માર આ સિંહને- જોશમાં યુવાન સિંહની સામે થયો અને સિંહનો તેણે વધ કર્યો. તે લડાઇ દરમિયાન ગુરુ તેને જોશ ચઢાવતા કન્નડમાં બોલતા ''હોય- સાલ..'' જેનો મતલબ થતો હતો કે સાલ હુમલો કર. સમય જતા આ જુવાન રાજા બન્યો જેનો સમય હોયસલા તરીકે જાણીતો થયો - જેની ગાથા ત્યાં બનાવાયેલા દરેક મંદિરમાં સિંહ સાથે લડતી મૂર્તિના રૂપે જોવા મળે છે. 

હોયસલા મંદિરોનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ

હવે વાત કરીએ આ મંદિરોની વિશેષતાઓની...


જે 3 મંદિરોને વિશ્વસ્તરે નામના મળી છે તે ત્રણેય કર્ણાટકમાં આવેલા છે, ચેન્નકેશવા મંદિર- બેલુર, હોયનશાલેશ્વર-હેલિબિડ, સોમનાથપુરાના કેશવ મંદિર, પણ હોયસલા સમયમાં લગભગ દોઢ હજારથી વધારે આવા ઉત્કૃષ્ટ મંદિરો બનાવાયા હતા, પણ જેમ અન્ય સ્થાપત્ય સાથે થયું તેમ તેને તોડી પડયા હતાં, આમાના મોટા ભાગના મંદિરોને બનાવડાવાની શરૂઆત કરી હતી હોયસલાના પરાક્રમી રાજા વિષ્ણુવર્ધનના સમયમાં જેને તેનો સુવર્ણ કાળ ગણવામાં આવે છે.



આ મંદિરોને બનતા 100 વર્ષથી પણ વધુનો સમય થયો હતો- તો શું ખાસ છે આ મંદીરમાં- ચેન્નકેશવ મંદિર વિષ્ણુને માટે જ બનાવડાવામાં આવ્યું છે, જેમાં એટલી બારીક કોતરણી થઇ છે કે પથ્થરો પરની કોતરણીને નરી આંખે જોઈ પણ નહિ શકો, અમુક પથ્થરની મૂર્તિઓની કોતરણી એ રીતે કરાઈ છે કે પ્રકાશ પણ આરપાર જઈ શકે છે,  11મીથી 12મી સદીમાં બનેલા મંદિરમાં રામાયણ- મહાભારતના પૌરાણિક પાત્રો,સમુદ્ર મંથનનું દ્રશ્ય, વિષ્ણુના વરાહ અવતારનું ચિત્રણ કરવામાં આવ્યું છે. જેમાં મંદિરની દિવાલો પર શિવ ઉપરાંત વિષ્ણુ, બ્રહ્મા, દેવી લક્ષ્મી, સરસ્વતી, કૃષ્ણ, ગણેશ, અર્જુન અને મહિષાસુરની તાદ્રશ્ય કોતરણી કરવામાં આવી છે. અહીં ભીષ્મ પિતામહને પણ તેમની મૃત્યુશૈયા પર બતાવવામાં આવ્યા છે.



ચેન્નકેશવ એ ભગવાન વિષ્ણુનો અવતાર છે. હોયસાલા વંશના રાજા વિષ્ણુવર્ધને આ મંદિરનું નિર્માણ 1104-17 વચ્ચે કરાવ્યું હતું. તે કર્ણાટકના બૈલુરમાં છે. કેશવ મંદિર કર્ણાટકના મૈસુરમાં આવેલું છે. તે 1268માં હોયસલા વંશના રાજા નરસિમ્હા ત્રીજાના મંત્રી સોમદનનાયક દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિરનું નિર્માણ હોયસાલા સ્થાપત્ય શૈલીમાં કરવામાં આવ્યું છે. આ શૈલી ન તો નાગર હતી નહિ દ્રવિડ. એટલે તેના કલાકૃતિને જોયા બાદ પણ પોતાને કોઈ આર્કિટેક્ટ તરીકે ઓળખાવતું હોય તો તે વિચારમાં પડી જ જશે. 

These 31 New Sites Got UNESCO World Heritage Status

11મી સદીમાં બનેલા સ્થાપત્યોને મળ્યું વૈશ્વિક ધરોહરમાં સ્થાન

મંદિરમાં આવેલા કલાત્મક વિશાળ સ્તંભની કોતરણી જોઈ લોકો અચંબામાં પડી જાય છે, 11મી સદીમાં બનેલા આ મંદિરમાં કઈ રીતે કોઈ આધુનિક મશીનો વગર આ બન્યા હશે તેનો જવાબ મેળવવો જ મુશ્કેલ છે. અને એટલે જ 45મી UNSCO બેઠક જે રિયાધમાં મળી હતી તેમાં ભારતની આ ધરોહરને વૈશ્વિક ધરોહરનો દરજ્જો આપવામાં આવ્યો- આ સાથે તે દેશનું 42મું સ્થાપત્ય બની ગયું છે. 

Karnataka's Hoysala temples inscribed on Unesco World Heritage List

Hoysala साम्राज्य के मंदिर UNESCO की वर्ल्ड हेरिटेज की लिस्ट में शामिल



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.