મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યો ધમકીભર્યો ફોન, સુરક્ષા એજન્સી એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-02-07 12:50:39

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટોને લઈ અનેક સમાચાર સામે આવતા હોય છે. ફ્લાઈટને ઉડાવાની ધમકી મળતી હોય છે જેને કારણે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાતી હોય છે. ત્યારે  મુંબઈના છત્રપતી શિવાજી મહારાજ અંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ધમકી ભર્યો ફોન આવ્યો હતો. હમલાની ધમકી મળતા એરપોર્ટ તંત્ર સર્તક થઈ ગયું હતું. ફોન કરનાર પોતાની ઓળખ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાની આપી. ધમકીભર્યો ફોન આવ્યો હતો જેને કારણે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે.     


હમલાની ધમકી મળતા એરપોર્ટ પર વધારાઈ સુરક્ષા 

આ અંગે મળતી માહિતી અનુસાર એરપોર્ટ સેન્ટર પર અંદાજીત રાતના 10 વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ ઈરફાન અહમદ શેખ બતાવ્યું અને કહ્યું કે તે ઈન્ડિયન મુજાહિદ્દિન નામના આતંકી સંગઠનનો સદસ્ય છે. પોતાની જાણકારી આપ્યા બાદ કોડ ભાષામાં તેમણે વાત કરી પરંતુ ફોન ઉઠાવનાર વ્યક્તિ તે સમજવામાં અસમર્થ રહ્યો. એરર્પોર્ટ પર આ પ્રકારનો ફોન આવવાની જાણકારી મુંબઈ પોલીસને આપવામાં આવી હતી. જાણકારી મળતા જ પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. અને ફોન કોણે કર્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. તે પહેલા કેરળની એક મહિલાએ બેંગ્લુરૂ એરપોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી આપી હતી. આ ધમકી મળતા પોલીસ સતર્ક થઈ છે અને આ ફોન કોણે કર્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!