ઉત્તરાખંડના જોશીમઠ પર વધતો ખતરો, પરિવારોને કરાઈ રહ્યા છે શિફ્ટ


  • Published By :
  • Published Date : 2023-01-07 14:29:29

ભારતમાં અનેક પવિત્ર યાત્રાધામ આવેલા છે. તેમાંથી ઉત્તરાખંડમાં આવેલા તીર્થસ્થાનોમાં વિશેષ મહત્વ રહેલું છે. ઉત્તરાખંડમાં જોશીમઠનું વિશેષ મહત્વ રહેલું છે. પરંતુ ત્યાં બનતી ઘટનાઓને કારણે ચિંતાનો વિષય બની છે.  રસ્તાઓ પર તેમજ ઘરોમાં લાંબી લાંબી તિરાડો પડી રહી છે. તિરાડો પડવાને કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ઉઠી છે. 

Image


મુખ્યમંત્રીએ લીધી ઘટનાસ્થળની મુલાકાત 

ઉત્તરાખંડમાં જમીન અને પર્વતો ઘસી રહ્યા છે. ઘરોમાં તિરાડો પડી રહી છે. જોશીમઠ પર સંકટ સતત વધી રહ્યું છે. આડેધડ બાંધકામ, વહેતી નદીઓના કારણે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે.  જોશીમઠ પર ખતરો વધતા મુખ્યમંત્રી એક્ટિવ થઈ ગયા છે. જોશીમઠની મુલાકાત લેવા અને ઘટના સ્થળની હાલત જોવા મુખ્યમંત્રી પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 


561 ઘર થયા છે પ્રભાવિત 

જોશીમઠમાં જમીન ધસવાને કારણે 561 ઘરોમાં તિરાડ પડી ગઈ છે. ત્યાં થતા તમામ કામોને તાત્કાલિક રોકવા આદેશ આપવામાં આવ્યો છે.  જોશીમઠની આવી પરિસ્થિતિ માટે જવાબદાર એનટીપીસીની હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલ અને ચારધામ ઓલ વેધર રોડ નિર્માણને કારણે આ બની રહ્યું છે. આ બાંધકામને કારણે આ દુર્ઘટના સર્જાઈ રહી છે તેવું માનવામાં આવી રહ્યું છે. 


આદિગુરૂ શંકરાચાર્યની આવી છે ગાદી

જોશીમઠમાં થતા ભૂસ્ખલનની અસર જ્યોતિર્મઠ પર પણ જોવા મળી રહી છે. ત્યાંના પ્રભારીએ જણાવ્યું કે પરિસરમાં આવેલા ભવનો, લક્ષ્મી નારાયણ મંદિરની આસપાસ મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે. આ પરિસરમાં ટોટકાર્ચાર્ય ગુફા, ત્રિપુર સુંદરી રાજરાજેશ્વરી મંદિર અને જ્યોતિષ પીઠને આદિગુરૂ શંકરાચાર્યની ગાદી આવેલી છે. 

 

તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે સર્વે 

થોડા વર્ષો પહેલા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું હતું પરંતુ તે વખતે ઘ્યાન આપવામાં ન આવ્યું હતું. આ ઘટનાને લઈ ચેતવણી આપવામાં આવી હતી. દિવસનો સમય તો પસાર થઈ ગયા છે પરંતુ આવી પરિસ્થિતિમાં રાતનો સમય પસાર કરવો ઘણો મુશ્કેલ બની રહે છે. આટલી ઠંડીમાં લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. ભૂર્ગમાં જળ સતત લીકેજ થઈ રહ્યું છે.  વહીવટીતંત્ર અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ ડોર-ટુ-ડોર સર્વે પણ કર્યો હતો.  



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.