Gujarat પર તોળાતું વાવાઝોડા 'તેજ'નું સંકટ, આ તારીખો દરમિયાન અનેક વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ


  • Published By :
  • Published Date : 2023-10-19 16:45:20

ગુજરાતમાં થોડા સમય પહેલા બિપોરજોય વાવાઝોડું આવ્યું હતું. એ વાવાઝોડાને કારણે ગુજરાતમાં તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે ગુજરાતને વધુ એક વાવાઝોડા માટે તૈયાર રહેવું પડશે. ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે પરંતુ તે બાદ ગુજરાત પર તેજ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ પૂર્વ અરબ સાગર અને તેની નજીક ચક્રવાતની સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાતમાં તોફાન મચાવી શકે છે. 21 ઓક્ટોબર સુધી એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે જેને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આ વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.  


ગુજરાત પર વાવાઝોડા 'તેજ'નું સંકટ

રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ અનેક જગ્યાઓ પરથી વરસાદ વરસવાના સમાચાર આવી રહ્યા છે. ગુજરાતને ફરી એક વખત ચક્રવાત માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. બિપોરજોય બાદ ગુજરાત પર તેજ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ ચક્રવાત બિપોરજોય જેવું શક્તિશાળી હોઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


બિપોરજોય જેટલું ભયંકર હશે આ વાવાઝોડું! 

અરબી સમુદ્રમાં તેમજ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની અસર ગુજરાતના વાતાવરણ પર પડતી હોય છે. આ વખતનું  ચોમાસું એકદમ અનિયમિત રહ્યું છે. પહેલા વરસાદ ન આવ્યો તેને કારણે ખેડૂતોને નુકસાન થયું. અને જ્યારે વરસાદ આવ્યો ત્યારે પૂર સર્જાયું. ત્યારે હવે ખેડૂતોની ચિંતા આ વાવાઝોડાએ વધારી છે. 21 ઓક્ટોબર સુધીમાં આ લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. 


વાવાઝોડું કઈ દિશામાં જશે તે અનિશ્ચિત! 

હાલ હવામાનની સ્થિતિને જોતા અરબ સાગરમાં વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે. હિન્દ મહાસાગરમાં આવનારા વાવાઝોડાના નામની ફોર્મુલાના આધાર પર આ વાવાઝોડાને તેજ નામ આપવામાં આવશે. મહત્વનું છે કે હજુ સુધી આ વાવાઝોડું કઈ દિશામાં જઈ રહ્યું છે તેની પર નજર રહેશે. મહત્વનું છે કે બહુ તેજ ગતિથી પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.