ચીનમાં કોરોનાને કારણે હજારો લોકોના થઈ રહ્યા છે મોત! સ્મશાન ગૃહ બહાર લાગી લાંબી લાઈનો


  • Published By :
  • Published Date : 2023-01-22 13:50:10

કોરોના ફરી એક વખત દુનિયાના અનેક દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. અનેક દેશોમાં કોરોનાથી હજારો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં વધતા કોરોનાના કેસને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી છે. ચીનમાં વાયરસે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. એક અંદાજા પ્રમાણે ચીનની 80 ટકા વસતી કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. ઉપરાંત ચીને કોરોનાને કારણે લગાવેલા પ્રતિબંધો પણ હટાવી દીધા છે. જેને કારણે આવનાર દિવસોમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી શકે છે.

 

ચીનમાં કોરોનાને કારણે હાહાકાર 

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અમેરિકા, જાપાન જેવા દેશોમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે. ચીનમાં તો કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે ચીનની 80 ટકા વસ્તી કોરોના સંક્રમિત થઈ ગઈ છે. 13થી 19 જાન્યુઆરી દરમિયાન કોરોનાને કારણે 13 હજારથી વધુ લોકોના મોત થયા છે. 


એક અઠવાડિયામાં થયા 13 હજાર લોકોના થયા મોત! 

કોરોના કેસ વધવાને કારણે ચીન સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા હતા. પરંતુ કડક નિયમોનો વિરોધ ત્યાંના લોકોએ કર્યો હતો. રસ્તા પર આવી લોકોએ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું. જે બાદ સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા છે. જે બાદ કોરોના કેસમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. હમણાં પણ ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ચીનમાં 13થી 19 જાન્યુઆરી દરમિયાન 13 હજાર લોકોના મોત કોરોનાને કારણે થઈ ગયા છે. સ્માશાન ગૃહ બહાર લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. 


કોરોનાનો સાચો આંકડો છૂપાવવાનો ચીન પર લાગ્યો છે આરોપ

ચીન પર કોરોનાનો આંકડો છુપાવવાના આરોપો લાગ્યા છે. જેને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનની ટીકા થઈ રહી છે. શરૂઆતથી જ ચીન મૃત્યુઆંક છૂપાવી રહી છે. ચીનનું કહેવું છે કે અહીં માત્ર 5 હજાર લોકોનો જ મોત થયા છે પરંતુ સ્મશાન ઘરની બહાર ઉભેલી લાઈન કંઈક બીજુ જ દર્શાવે છે. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.