Adivasi સંમેલનમાં પહોંચેલા હજારો આદિવાસીઓએ MLA Chaitar Vasavaને યાદ કર્યા, બૂમો પાડી કહ્યું કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-16 09:38:12

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમના સમાચાર અનેક વખત આવતા રહે છે. ચૈતર વસાવાના સમર્થકો અનેક વખત ચૈતર વસાવાના સમર્થનમાં રેલી નિકાળતા હોય છે. અલગ અલગ માધ્યમોથી લોકો સુધી ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા કામોને પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવતો હોય છે. પોલીસ સમક્ષ જ્યારે ચૈતર વસાવા હાજર થયા હતા ત્યારે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો, આગેવાનો તેમજ આપના નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા. સેલવાસ ખાતે આયોજીત આદિવાસી સંમેલનમાં પણ આદિવાસી સમાજના લોકોએ ચૈતર વસાવાના સમર્થનમાં બૂમો પાડી હતી અને નારા લગાવ્યા હતા કે ચૈતર વસાવા તૂમ આગે બઢો હમ તુમ્હારે સાથે હેં.

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવ્યા હતા ગુજરાત 

વસાવા Vs વસાવાનો જંગ અનેક વખત જોવા મળતો હોય છે. પોતાના નિવેદનોને કારણે અથવા તો કોઈ અપડેટને કારણે મનસુખ વસાવા અને ચૈતર વસાવા ચર્ચામાં હોય છે. ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ જેલમાંથી પણ તે પોતાના સમર્થકોને સંદેશો મોકલે છે. ચૈતર વસાવાના સમર્થકોએ અનેક વખત ચૈતર વસાવાને ન્યાય મળે તે માટે રેલીનું આયોજન કરી રહ્યા છે. થોડા સમય પહેલા ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત આવ્યા હતા. અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાત આવ્યા હતા. નેત્રંગ ખાતે જાહેર સભા સંબોધી હતી જેમાં તેમણે જાહેરાત કરી કે ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે. 


આદિવાસી સમાજના લોકોએ ચૈતર વસાવાને કર્યા યાદ 

મહત્વનું છે કે આની પહેલા ચૈતર વસાવાએ આ અંગે વાત કરી હતી. તે ગમે ત્યાં હોય પણ તે લોકસભાની ચૂંટણી લડશે તેવો સંદેશો તેમના દ્વારા મોકલવામાં આવ્યો હતો. પોતાના સમર્થકોને તેમજ આપના કાર્યકર્તાઓને આ અંગે કામ પર લાગી જવા માટે કહ્યું હતું. આદિવાસી સમાજના લોકો અનેક વખત ચૈતર વસાવાને યાદ કરતા હોય છે, તેમના નામની બૂમો પાડતા હોય છે ત્યારે આદિવાસી સંમેલનમાં ચૈતર વસાવાના નામની બૂમો પાડી અને તેમને યાદ કર્યા હતા.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.