Adivasi સંમેલનમાં પહોંચેલા હજારો આદિવાસીઓએ MLA Chaitar Vasavaને યાદ કર્યા, બૂમો પાડી કહ્યું કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-16 09:38:12

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમના સમાચાર અનેક વખત આવતા રહે છે. ચૈતર વસાવાના સમર્થકો અનેક વખત ચૈતર વસાવાના સમર્થનમાં રેલી નિકાળતા હોય છે. અલગ અલગ માધ્યમોથી લોકો સુધી ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા કામોને પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવતો હોય છે. પોલીસ સમક્ષ જ્યારે ચૈતર વસાવા હાજર થયા હતા ત્યારે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો, આગેવાનો તેમજ આપના નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા. સેલવાસ ખાતે આયોજીત આદિવાસી સંમેલનમાં પણ આદિવાસી સમાજના લોકોએ ચૈતર વસાવાના સમર્થનમાં બૂમો પાડી હતી અને નારા લગાવ્યા હતા કે ચૈતર વસાવા તૂમ આગે બઢો હમ તુમ્હારે સાથે હેં.

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવ્યા હતા ગુજરાત 

વસાવા Vs વસાવાનો જંગ અનેક વખત જોવા મળતો હોય છે. પોતાના નિવેદનોને કારણે અથવા તો કોઈ અપડેટને કારણે મનસુખ વસાવા અને ચૈતર વસાવા ચર્ચામાં હોય છે. ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ જેલમાંથી પણ તે પોતાના સમર્થકોને સંદેશો મોકલે છે. ચૈતર વસાવાના સમર્થકોએ અનેક વખત ચૈતર વસાવાને ન્યાય મળે તે માટે રેલીનું આયોજન કરી રહ્યા છે. થોડા સમય પહેલા ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત આવ્યા હતા. અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાત આવ્યા હતા. નેત્રંગ ખાતે જાહેર સભા સંબોધી હતી જેમાં તેમણે જાહેરાત કરી કે ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે. 


આદિવાસી સમાજના લોકોએ ચૈતર વસાવાને કર્યા યાદ 

મહત્વનું છે કે આની પહેલા ચૈતર વસાવાએ આ અંગે વાત કરી હતી. તે ગમે ત્યાં હોય પણ તે લોકસભાની ચૂંટણી લડશે તેવો સંદેશો તેમના દ્વારા મોકલવામાં આવ્યો હતો. પોતાના સમર્થકોને તેમજ આપના કાર્યકર્તાઓને આ અંગે કામ પર લાગી જવા માટે કહ્યું હતું. આદિવાસી સમાજના લોકો અનેક વખત ચૈતર વસાવાને યાદ કરતા હોય છે, તેમના નામની બૂમો પાડતા હોય છે ત્યારે આદિવાસી સંમેલનમાં ચૈતર વસાવાના નામની બૂમો પાડી અને તેમને યાદ કર્યા હતા.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!