કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કરી ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રમુખને બદલવાની માગ! જાણો કયા ટ્વિટથી ગરમાઈ રાજનીતિ?


  • Published By :
  • Published Date : 2023-06-08 12:25:29

કોંગ્રેસમાં ચાલતા આંતરિક ડખા અનેક વખત સામે આવતા હોય છે. નેતાઓ વચ્ચેના મતભેદ તેમજ આંતરિક ઘમાસાણ સમાચારોની હેડલાઈન્સ બનતા હોય છે. તમને લાગતું હશે કે રાજસ્થાન કોંગ્રેસની વાત કરવામાં આવી રહી છે પરંતુ ના આ સમાચાર ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના એક ટ્વિટથી રાજકારણ ગરમાઈ ગયું છે. શેખે ટ્વિટ કરી ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રમુખને બદલવાની માગ હાઈકમાન્ડને કરી છે. ઉલ્લેખનિય છે કે શેખે પોતાના ટ્વિટમાં પ્રમુખનું નામ ન લેતા આડકતરી રીતે જગદીશ ઠાકોર પર નિશાન સાધ્યું છે.

  

ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહ્યા છે ડખા!

એક ટ્વિટે ગુજરાતના રાજકારણને ગરમાવી દીધી છે. કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલતા વિવાદ અનેક વખત સામે આવ્યા છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટનો વિવાદ હજી શાંત નથી થયો ત્યારે ગુજરાત કોંગ્રેસમાં જાણે વિવાદ શરૂ થવાનો હોય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખને બદલવાની માગ કરવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા હાઈકમાન્ડને આવી રજૂઆત કરવામાં આવી છે. શેખના આ ટ્વિટને કારણે કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ તેમજ વિરોધના વંટોળ શરૂ થઈ શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. 


નામ લીધા વગર જગદીશ ઠાકોર પર કર્યા પ્રહાર! 

શેખે પોતાના ટ્વિટમાં લખ્યું કે હાઈકમાન્ડે પોતાની વિવેકબુદ્ધિ અને સર્વેક્ષણના આધારે જે વ્યકિત કોંગ્રેસની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હોય, પાયાના કાર્યકરને આદર આપતો હોય અને જનસમસ્યાઓ માટે સંઘર્ષ કરવાની ક્ષમતા ધરાવતો હોય તેવા વ્યકિતને ગુજરાત કોંગ્રેસનો પ્રમુખ બનાવવો જોઈએ. મહત્વનું છે કે હાલ ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ જગદીશ ઠાકોર કરી રહ્યા છે. જમાવટની ટીમે જ્યારે ગ્યાસુદ્દીન શેખનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે જગદીશ ઠાકોર પોતે પદ છોડવા માગે છે.        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.