આ વખતે ગુજરાતમાં ભાજપની 70 સીટ પણ નહીં આવે - જગદીશ ઠાકોર


  • Published By :
  • Published Date : 2022-11-06 17:01:44

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણી નજીક આવતા પાર્ટીના નેતાઓ એક બીજા પર આરોપ પ્રત્યારોપ લગાવતા રહે છે. ત્યારે ભાજપ પર જગદીશ ઠાકોરે નિશાન સાધ્યું છે. નિવેદન આપતા જગદીશ ઠાકોરે ભાજપને લઈ ભવિષ્યવાણી કરતા કહ્યું કે આ વખતે ભાજપની 70 સીટ પણ આવવાની નથી. 

Pradesh Congress president Jagdish Thakore threatened the police at a  public meeting - પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જનસભામાં પોલીસને ધમકી  આપી – News18 Gujarati

આ વખતે ભાજપની હાર નિશ્ચિત છે - જગદીશ ઠાકોર

ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે સત્તાનો જંગ જામવાનો છે. દરેક પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. પ્રચાર દરમિયાન નેતાઓ પાર્ટી પર આક્ષેપ કરતા હોય છે. કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા છે.ચૂંટણીમાં ભાજપને કેટલી સીટ મળશે તે અંગે તેમણે ટિપ્પણી કરી હતી. ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી અને અમિત શાહ એક મહિનો ગુજરાતમાં રહે તો પણ ભાજપની હાર નિશ્ચિત છે. આ વખતે ભાજપને 70 જેટલી સીટો પણ નહીં મળે.     

અમિત શાહે મોદીના પડછાયાથી બહાર નીકળી પોતાની અલગ છબિ બનાવી લીધી? - BBC News  ગુજરાતી

જયનારાયણ વ્યાસને લઈ આપી પ્રતિક્રિયા 

ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ પાર્ટીથી નારાજ નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. ચૂંટણી જાહેર થયા બાદ અનેક નેતાઓએ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી બીજી પાર્ટીમાં જતા રહે છે. ત્યારે ભાજપને અલવિદા કહેનાર જયનારાયણ વ્યાસને લઈ નિવેદન આપતા કહ્યું કે જયનારાયણ વ્યાસની ટિકિટ તો 15 વર્ષ પહેલા કપાઈ ગઈ હતી. ટિકિટ કપાયા પછી પણ તેઓ ભાજપમાં રહ્યા. ભાજપની ટિકા કરતા જગદીશ ઠાકોરે કહ્યું કે હવેનો સમય એવો છે કે ભાજપના સભ્યો અપમાનિત થઈ રહ્યા છે. ભાજપના કાર્યકરો પોતાના દુ:ખને કારણે પાર્ટી છોડી રહ્યા છે. 

અશોક ગેહલોત હજુ પણ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં, ઉમેદવારી બચાવવા અનેક નેતાઓ  સક્રિય

શું કોંગ્રેસમાં જોડાશે જયનારાયણ વ્યાસ?

જગદીશ ઠાકોરના નિવેદનથી અટકળોનું બજાર ગરમાયું છે. અટકળો પ્રમાણે થોડા સમયમાં જ જયનારાયણ વ્યાસ કોંગ્રેસનો હાથ પકડી શકે છે. અમદાવાદના સર્કિટ હાઉસમાં અશોક ગેહલોત સાથે થયેલી મુલાકાત બાદ આવી વાતો વહેતી થવા લાગી હતી. ત્યારે તેઓ કોંગ્રેસ પાર્ટીની સાથે જશે કે નહીં તે સસ્પેન્સ અકબંધ છે.     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!