જૂઓ આ વિલાયતી માસ્તર... બનાસકાંઠાના આ શિક્ષક પણ ગાયબ થઈ ગયા! આદિવાસી વિસ્તારના બાળકો કઈ રીતે ભણશે?


  • Published By :
  • Published Date : 2024-08-12 18:39:39

શિક્ષકો બાળકોના ભાવિને ઘડવામાં મહત્વનો ભાગ ભજવે છે.. વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનું વિશેષ સ્થાન હોય છે. પરંતુ થોડા સમયથી ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગે છે.. બનાસકાંઠાથી શરૂ થયેલા આ કિસ્સાઓનો અંત ક્યારે આવશે ખબર નથી પણ ફરી એક વિલાયતી શિક્ષક હાથે આવ્યા છે..  બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષક મળ્યા છે. 

શિક્ષક છેલ્લા દોઢ વર્ષથી હાજર નથી..!

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મગવાસના શાળાની આ વાત છે મગવાસ સ્કૂલમાં ભૂતિયા શિક્ષક મળ્યા છે પછી ત્યાંના લોકોએ તો નવું કર્યું. ગ્રામજનોએ ઢોલ વગાડીને મોટી સંખ્યામાં એકત્રિત થયા અને સ્કૂલ આગળ એ બાબતે વિરોધ કર્યો. એ લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકના અભાવથી બાળકોને અભ્યાસમાં અગવડો પડી રહી છે. કેમ અગવડ પડે છે તો ગણિત-વિજ્ઞાનના શિક્ષક જય કુમાર ચૌહાણ છેલ્લા દોઢ વર્ષથી ગેરહાજર છે. પાન્છા બાદ દાંતાથી વિલાયતી શિક્ષક ઝડપાયા છે. હમણાં જ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ જ્યારે બીજી તરફ આદીવાસી શાળામાં જ શિક્ષકો આવતાં જ નથી તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.





અનેક વખત રજૂઆત કરાઈ પરંતુ...

ત્યારે આપણને સવાલ થવો જ જોઈએ કે કેમ આદિવાસી વિસ્તારોના બાળકો શિક્ષણ અને શિક્ષકોથી વંચિત રહી જાય છે. છેલ્લા 03/01/23થી જયકુમાર કનૈયા લાલ ચૌહાણ નામનો શિક્ષક ગેરહાજર છે સ્કૂલના આચાર્યએ કહ્યું કે  શાળા દ્વારા અનેકોવાર તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ છતાં આ ભૂતિયા શિક્ષક સામે કાર્યવાહી કરાઇ નથી. જોકે આટલા કિસ્સા સામે આવ્યા બાદ સરકારની આંખ ઊઘડી છે . શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયા એ પણ આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહીની વાત કરી છે. કેમ કે અચાનકથી 5-7 ઘટનાઓ આવી સામે આવી છે. 



ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો! 

ભૂતિયા શિક્ષકો અને ડમી શિક્ષકોને સરકાર કહે ભણશે ગુજરાત આલા પણ કેમનું? તંત્રમાં બેઠા લોકોને આદિવાસી બાળકોની કઈ પડી નથી એવું આ ઘટનાઓ જોઈને લાગી રહ્યું છે.. તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો...



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.