Ganesh Jadejaની આ મુસ્કાન System પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભું કરે છે! ધરપકડ બાદ પણ કોઈ શરમ નહીં, હસતો જોવા મળ્યો! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-07 11:13:17

ગણેશ જાડેજાની ધરપકડ પરમ દિવસે મોડી રાત્રે કરી લેવામાં આવી.. ગણેશ જાડેડા સહિત 8 આરોપીની રિમાન્ડ નામંજૂર કરવામાં આવી છે. રિમાન્ડ નામંજૂર થઈ છે સાથે સાથે એવી માહિતી પણ સામે આવી છે કે ગણેશ જાડેજા અને તેના સાથીઓને જેલ હવાલે કરી દેવાયા છે.. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગણેશ જાડેજા સિવાય તમામના ચહેરાઓ પર કાળા કલરનું માસ્ક પહેરાવવામાં આવ્યું છે.. ગણેશ જાડેજાને કાળા કલરનું માસ્ક પહેરાવવામાં નથી આવ્યું.. ગણેશ જાડેજાની નફ્ટાઈ ખુલ્લીને જાણે સામે આવતી હોય તેવું લાગે છે..! અફસોસ તો તેના ચહેરા પર દેખાતો નથી પરંતુ તે હસી રહ્યો છે... 

ગણેશ જાડેજાને નથી કોઈ શરમ નથી કોઈ અફસોસ 

છેલ્લા થોડા સમયથી જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ચર્ચામાં છે.. જૂનાગઢના અનુસૂચિત જાતિના યુવક સંજય સોલંકીને ગણેશ જાડેજાએ માર માર્યો તેવી એક ફરિયાદ થઈ. ત્યારે તે અને તેના સાથી ફરાર થઈ ગયા. એક દિવસ પહેલા જ તેની ધરપકડ કરાઈ. ગઈકાલે તેને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ લઈ જવામાં આવ્યો અને ત્યાંથી જે વીડિયો સામે આવ્યો જેમાં સાફ દેખાય છે કે ગણેશ જાડેજાને ના શરમ છે કે ના અફસોસ છે.. પોલીસની ધરપકડ બાદ પણ તેના ચહેરા પર પસ્તાવો હોવાને બદલે તે હસી રહ્યો છે જેલમાં જાય છે ત્યારે પણ એ ખી ખી કરીને હસી રહ્યો છે..  



સિસ્ટમને ચેલેન્જ કરે છે આ મુસ્કાન!

ગણેશ જાડેજા જે પ્રમાણે હસી રહ્યો છે તે જાણે સિસ્ટમ પર હસી રહ્યો હોય તેવું લાગે છે. કદાચ એને એવું હશે કે, એ માનતો હશે કે તે મોટા બાપના ઓલાદ છે એટલે થોડા દિવસોની અંદર છૂટી જશે.. ગણેશ જાડેજાની આ મુસ્કાન એ આપણી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ખુબ મોટો પ્રશ્નાર્થ ચિહન ઉભું કરે છે. તેની આ મુસ્કાન સરકારને ચેલેન્જ કરે છે કે તમારે જે કરવું હોય તે કરી લો. જૂનાગઢ ડીવાયએસપી દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.. 


મોટી બાપની ઓલાદને કદાચ લાગતું હશે કે....

મહત્વનું છે અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે જ્યારે અમીર બાપની ઓલાદ પકડાય છે ત્યારે તેના ચહેરા પર ના તો અફસોસ હોય છે ના તો પસ્તાવો હોય છે.. તેમને લાગતું હોય છે કે સિસ્ટમ તેમના બાપની છે... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે કે અમને કમેન્ટમાં જણાવજો.. 



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.