Amreliના આ વૃદ્ધા 6 મહિનાથી ન્યાય માટે કરી રહ્યા છે રઝળપાટ, કંટાળીને ઈચ્છા મૃત્યુની કરી માંગ!


  • Published By :
  • Published Date : 2024-01-17 20:19:54

દુનિયાનો છેલ્લો છેડો એટલે ઘર એવું આપણે સાંભળતા આવ્યા છીએ પણ આજે એક એવા વૃદ્ધ બા અમારી પાસે આવ્યા હતા કે જેમને ખબર જ નથી કે હવે કયા જવું અને કયા રહેવું! જમાવટની ઓફિસે 84 વર્ષના વિધવા વૃદ્ધા આવી રડવા લાગ્યા, તો અમે તેમને પૂછ્યું કે શું થયું? તો એ બા એ કહ્યું કે મારુ ઘર કેટલાક લોકોએ તોડી નાખ્યું છે. અને હું છેલ્લા 5-6 મહિનાથી ઘર વગર ફરી રહી છું મારી આગળ પાછળ કોઈ નથી અને મારો દીકરો પણ મને રાખતો નથી. મે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે છતાંય કોઈ સાંભળતું નથી એટલે હું જમાવટની ઓફિસ આવી છું! આ સાંભળી અમને થયું કે આ માજીનું ઘર કોઈએ કેમ તોડી નાખ્યું અને તેમણે કેમ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે, એ બાબતે અમે આ વૃદ્ધ બા સાથે વાત કરી. 

આ માજીનું નામ છે નયનાબેન કાંતિલાલ જોશી, કે જે અમરેલી જિલ્લાના ધરાઇ ગામે આવેલ બાલમુકુન્દજીની હવેલી નજીક તેમનું 100 વર્ષ જૂનું મકાન હતું જ્યાં રહેતા હતા. જે મકાન તેમના માલિકીનું હતું છતાંય ટ્રસ્ટના કેટલા માણસો દ્વારા એમના મકાનને તોડી નાખી સામાન જપ્ત કરી લીધું છે તેવું નયના બેનનું કહેવું છે. જે મકાન તૂટયું છે એ મકાન અંદાજે 100 વર્ષ પહેલા તેમના સસરાના જીવનકાળમાં બન્યું હતું. પણ પછી એ મકાનને બાલમુકુન્દજી હવેલી ટ્રસ્ટમાં તેમના જ સબંધીઓની મરજીથી લેવામાં આવ્યું હતું. પણ એમને એ નહોતી ખબર કે ટ્રસ્ટના કારણે તેમનું મકાન તોડી નાખવામાં આવશે. અત્યારે આ માજી ઘર વગર નિરાધાર થઈ ગયા છે અને તેમણે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. 


આ મકાનને બાલમુકુન્દજી હવેલી ટ્રસ્ટમાં લેવામાં આવ્યું હતું અને ટ્રસ્ટના માણસો પણ નયના બેનના સગા સબંધીઓ અને સમાજના હતા જે વિશ્વાસથી નયના બેન એ વખતે કઈ બોલ્યા નહીં પણ એમને એ નહોતી ખબર કે ટ્રસ્ટમાં બીજા માણસો પણ આવશે અને તેમનું મકાન તોડી નાખશે. નયના બેન જ્યારે ઘરે હાજર નહોતા એ વખતે ટ્રસ્ટના લોકોએ પોલીસને સાથે રાખી તેમનું મકાન પાડી દીધું હતું. અને ઘરનું સામાન પણ પાછો નથી આપ્યો તેવું નયના બેન જણાવી રહ્યા છે. 


નયના બેનનું મકાન પાડી દેવામાં આવ્યું તેના પહેલા કોઈ નોટિસ પણ નહોતી આપવામાં આવી. જેની ફરિયાદ લઈને તેઓ છેલ્લા 5-6 મહિનાથી ફરી રહ્યા છે પણ સાંભળવા વાળું કોઈ નથી. તેમની ફરિયાદ પોલીસ દ્વારા પણ નથી લેવામાં આવી રહી. જેના કારણે તેઓ મંત્રીઓને, પત્રકારોને, પોલીસના અધિકારીઓને મળી મળી ને થાક્યા અને પછી એમણે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. નયના બેને પત્ર લખી ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગી છે. 


આ 84 વર્ષના વૃદ્ધ બા અત્યારે જ્યાં ત્યાં રહીને પોતાનો સમય વિતાવી રહ્યા છે. કારણ કે તેમના પતિ અને બીજા દીકરા આ દુનિયામાં હયાત નથી. એક મોટો દીકરો અમદાવાદ શહેરમાં રહે છે પણ 'માં ને નથી રાખતો' તેવું નયના બેનનું કહેવું છે.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.