ચૂંટણી સમયે દીવ-દમણ જવાની યોજના બનાવતા પહેલા જાણીલો આ સમાચાર


  • Published By :
  • Published Date : 2022-11-19 18:15:16

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ચૂંટણીના સમય દરમિયાન દીવ-દમણમાં દારૂ બંધી કરી દેવામાં આવી છે.  શિયાળાના સમયમાં ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે લોકો દીવ દમણ જઈ દારૂની મહેલી જમાવતા હોય છે. ત્યારે ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે ચૂંટણીના સમય દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણના વહીવટી તંત્રએ ચૂંટણીના સમય દરમિયાન દારૂબંધી કરવાનો નિર્ણય કર્યો છે.

ગાંધીના ગુજરાતમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ... રૂ. 2.55 અબજનો દારૂ પકડાયો

6 દિવસ માટે દીવ દમણમાં રહેશે ડ્રાય ડે

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ થવાનું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. જેને કારણે ગુજરાતને અડીને આવેલા દીવ દમણ પ્રશાસને ચૂંટણીના સમય દરમિયાન દીવ દમણમાં દારૂબંધી કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત 29મી તારીખના સાંજના પાંચ વાગ્યાથી લઈ પહેલી ડિસેમ્બરના 5 વાગ્યા સુધી દારૂબંધી રહેશે. જે બાદ 3 ડિસેમ્બરથી પાંચ વાગ્યાથી લઈ 5 ડિસેમ્બરે સાંજના 5 વાગ્યા સુધી દીવ દમણમાં દારૂબંધી રહેશે. વહીવટી તંત્ર દ્વારા  6 દિવસ માટે ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે.          




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.