'ધી કેરાલા સ્ટોરી' ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત કરવા આ ધારાસભ્યે કરી માગ! આજની કેબિનેટ બેઠકમાં લેવાઈ શકે છે આ અંગે નિર્ણય!


  • Published By :
  • Published Date : 2023-05-10 14:59:59

ધી કેરાલા સ્ટોરીને લઈ વિવાદ વધતો જઈ રહ્યો છે. અનેક રાજ્યોએ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે તો કોઈ રાજ્યએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે ગુજરાતમાં પણ ફિલ્મ કરમુક્ત કરવામાં આવે તેવી માગ ઉઠી છે. એક તરફ રાજ્યો ફિલ્મને કરમુક્ત કરી રહ્યા છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળની સરકારે અને તમિલનાડુની સરકારે ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે. આને કારણે ફિલ્મના પ્રોડ્યુસરે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ મામલે 12 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ફિલ્મ પ્રોડ્યુસરનું કહેવું છે કે ફિલ્મ પર પ્રતિબંધ હોવાને કારણે તેમને મોટા પાયે નુકસાન થાય છે.


ગુજરાતમાં ફિલ્મને કરમુક્ત કરવાની ઉઠી માગ!

અનેક એવી ફિલ્મો હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ધી કાશ્મીર ફિલ્મને લઈ વિવાદ છેડાયો હતો ત્યારે હવે કેરાલા સ્ટોરીનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓ દ્વારા ફિલ્મનું પ્રમોશન કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. ધર્મ હમેશાં રાજનેતાઓનો ફેવરિટ મુદ્દો રહેતો હોય છે. ત્યારે આ ફિલ્મમાં પણ જાણે રાજકારણની એન્ટ્રી થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશ તેમજ મધ્યપ્રદેશમાં આ ફિલ્મને કરમુક્ત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવે તેવી માગ રાજનેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે. રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ અને રમેશ ટીલાળાએ ગુજરાત સરકારને આ ફિલ્મ કરમુક્ત કરવા માટે માગ કરી છે.       


કેબિનેટ બેઠકમાં આ અંગે લેવાઈ શકે છે નિર્ણય!

ધી કેરાલા સ્ટોરીને લોકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મે કરોડોની કમાણી કરી લીધી છે. ત્યારે અનેક રાજ્યોમાં ફિલ્મને કરમુક્ત કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારે ફિલ્મને કરમુક્ત કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં પણ ફિલ્મને કરમુક્ત કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ત્યારે આજે આ અંગે નિર્ણય આજે મળનારી કેબિનેટની બેઠકમાં લેવાઈ શકે છે તેવી વાતો સામે આવી છે. આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. 


મહિલાઓ માટે કરાયું આયોજન!

મહત્વનું  છે જૂનાગઢના સાંસદ અને ધારાસભ્યે ધી કેરાલા સ્ટોરીને લઈ એક જાહેરાત કરી છે. જૂનાગઢમાં આ ફિલ્મ મહિલાઓ અને દીકરીઓને વિના મૂલ્યે બતાવવામાં આવશે. જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમા અને ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. તે સિવાય રાજકોટના ધારાસભ્યે ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત કરવામાં આવે તેવી માગ કરી છે. રાજકોટના બે ધારાસભ્ય ડો. દર્શિતા શાહ અને રમેશ ટીલાવાળાએ આ માગ કરી છે. સુરતમાં એક ચા વાળાએ ફિલ્મને લઈ પ્રોત્સાહિત કરવા ગજબની ઓફર લાવ્યા છે. ફિલ્મની ટિકિટ બતાવવા પર તેમને ચા કોફી મફતમાં આપવામાં આવશે.                



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!