AAPના આ ધારાસભ્યએ બતાવી BJPમાં જવાની તૈયારી! શરત રાખતા કહ્યું કે જો સરકાર ખેડૂતોનું...! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-21 10:27:56

ધારાસભ્ય પદ ઉપરથી બે ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. એક ધારાસભ્ય જેમણે રાજીનામું આપ્યું છે તે કોંગ્રેસ પાર્ટીના હતા અને બીજી ધારાસભ્ય આમ આદમી પાર્ટીના હતા. એક અઠવાડિયામાં બે રાજીનામા પડવાથી એવી ચર્ચાઓ તેજ બની હતી કે વધુ ધારાસભ્યો પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. આમ આદમી પાર્ટીના હશે કે કોંગ્રેસના તેની પર સૌ કોઈની નજર હતી આ બધા વચ્ચે આપના ધારાસભ્યે ભાજપમાં આવવાની તૈયારી બતાવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણએ કહ્યું કે જે સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તો હું ભાજપમાં આવવા તૈયાર છે. 


કોંગ્રેસ તેમજ આપમાં પડી શકે છે ભંગાણ  

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઓપરેશન કમલમ તેજ બની રહ્યું છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ અચાનક પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ તો કોંગ્રેસના ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. તેવી ચર્ચાઓ ચાલી રહી હતી વધુ ધારાસભ્યો પદને છોડી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યું તે બાદ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે આપમાં ભંગાણ પડી શકે છે. આપના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. એક તરફ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે આપના ધારાસભ્ય પદને અલવિદા કહી શકે છે પરંતુ સાંજે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં કહેવામાં આવ્યું કે તેઓ આમ આદમી પાર્ટીમાં રહેશે.

જો સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તો...  

આપના ધારાસભ્ય હેમંત ખવા અને ઉમેશ મકવાણાએ પક્ષપલટો કરવાની વાતને નકારી હતી. તેમણે કહ્યું કે જેલમાં જઈશું પણ રાજીનામું નહીં આપીએ. મતદારોનો વિશ્વાસ અકબંધ રાખીશું. ઉપરાંત ઉમેશ મકવાણાએ એવો આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં ભાજપ ડરની રાજનીતિ કરી રહી છે. મારી અને મારા પરિવારની રેકી થઈ રહી છે. ભાજપ ગમે તેટલા હથકંડા અજમાવે પણ હું આપમાં જ રહીશ. હું જ નહીં, આપના બધાય ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર છીએ પણ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર બંધ કરે અને દિલ્હીની જેમ શાળા-કોલેજોમાં ટોપનું શિક્ષણ આપવામાં આવે.   

ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને લખ્યો હતો પત્ર 

મહત્વનું છે કે આ એ જ ધારાસભ્ય છે જેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો જેમાં તેમણે માગ કરી હતી કે તેમની સંપત્તિની તપાસ કરવામાં આવે. એવી પણ માહિતી સામે આવી છે કે તે થોડા સમયની અંદર જ પોતાની આવક સંપત્તિની વિગતો સાથે એફિકેવિટ જાહેર કરશે. ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપમાં જવાની તૈયારી દર્શાવતા ધારાસભ્ય સાચે ભાજપમાં જાય છે કે પછી પોતાની વાત પર મક્કમ રહે છે..



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!