મંત્રી કુંવરજી બાવળિયા સામે ભાજપના જ અગ્રણી નેતાએ મોરચો માંડ્યો, આ ગંભીર આક્ષેપ લગાવ્યો


  • Published By :
  • Published Date : 2023-11-15 19:58:41

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપનો આંતરિક વિખવાદ ફરી એક બહાર આવી રહ્યા છે. ગુજરાત ભાજપના નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સામે રાજકોટ જિલ્લામાં ભાજપના જ એક જુથે મોરચો માડ્યો છે. વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાળિયાએ કુંવરજી બાવળિયા ભાજપના જૂના કાર્યકરોને સાઇડલાઇન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. ભૂપત કેરાળિયાના નવા આક્ષેપથી રાજકોટ જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયું છે.

 


ભૂપત કેરાળિયાએ શું આક્ષેપ કર્યો?


રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપતભાઇ કેરાળીયાએ મંત્રી કુંવરજી બાવળિયા પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કુંવરજી બાવળિયા પર ભાજપના જૂના કાર્યકરોને માનસિક ત્રાસ આપી હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત ઉમિયા શૈક્ષણિક સંકુલના સંચાલકો લાઈટ અને પાણીનું બીલ ન ભરતા હોવાથી અધિકારીઓ ઉઘરાણી કરવા જાય ત્યારે ધમકાવતા હોવાની બાવળિયા દ્વારા જિલ્લા કલેકટરને અરજી કરી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ ભાજપના જ બે નેતાઓ વચ્ચે ગજગ્રાહ આજકાલ જસદણ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.